For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશાખાપટ્ટનમના જાસૂસી કેસની તપાસમાં એનઆઇએના ગુજરાત સહિતના રાજ્યોમાં દરોડા

11:49 AM Aug 30, 2024 IST | admin
વિશાખાપટ્ટનમના જાસૂસી કેસની તપાસમાં એનઆઇએના ગુજરાત સહિતના રાજ્યોમાં દરોડા

જાસૂસી કેસમાં પાકિસ્તાન કનેકશન ખુુલ્યા બાદ એનઆઇએને તપાસ સોંપાઇ

Advertisement

વિશાખાપટ્ટનમના એક જાસુસી કેસમાં પાકિસ્તાન કનેકશન ખુલ્યા બાદ આ મામલે એનઆઇએને તપાસ સોંપાયા બાદ એનઆઇએની ટીમે ગુજરાત, કર્ણાટક, કેરળ સહીતના સાત રાજયોમાં દેશવ્યાપી દરોડા પાડી કેટલાક શકમંદોની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.

પાકિસ્તાનની આગેવાની હેઠળના વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં વ્યાપક કાર્યવાહીમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) એ બુધવારે ગુજરાત, કર્ણાટક, કેરળ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને હરિયાણામાં 16 સ્થળો પર સર્ચ કર્યું હતું. તપાસ કરાયેલ જગ્યા શંકાસ્પદ સાથે જોડાયેલી હતી જેમણે ભારતમાં જાસૂસી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પાકિસ્તાન પાસેથી નાણાં મેળવ્યા હતા; 22 મોબાઈલ ફોન અને ઘણા સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

એનઆઇએએ જુલાઈ 2023માં આ કેસનો કબજો લીધો હતો જે મૂળ આંધ્ર પ્રદેશના કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલ (ઈઈંઈ) દ્વારા 2021માં નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સરહદ પારથી ઘડવામાં આવેલા ભારત વિરોધી કાવતરાના ભાગરૂૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી હતી.
એનઆઇએએ ફરાર પાકિસ્તાની નાગરિક મીર બલાજ ખાન સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે ધરપકડ કરાયેલા આરોપી આકાશ સોલંકી સાથે ખાન કથિત રીતે જાસૂસી રેકેટમાં સામેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement