For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુદરતનો કહેર: જમ્મુ-મનાલીમાં પૂરનો પ્રકોપ-લાહૌલમાં 1 ફૂટ બરફ વર્ષા

06:04 PM Aug 26, 2025 IST | Bhumika
કુદરતનો કહેર  જમ્મુ મનાલીમાં પૂરનો પ્રકોપ લાહૌલમાં 1 ફૂટ બરફ વર્ષા

કાશ્મીરના ડોડા-કિશ્તવાડમાં અનેક સ્થળે વાદળ ફાટતાં 4નાં મોત: જમ્મુ-શ્રીનગર, મનાલી-લેહ, મનાલી-ચંડીગઢ હાઈવે બંધ: હજારો પ્રવાસી ફસાયા

Advertisement

ઉત્તર ભારતમાં એક સાથે હિમવર્ષા અને વાદળ ફાટવાની ઘટનાથી કૂદરતનો કહેર ઉતર્યો છે. જમ્મુ અને મનાલીમાં વાદળ ફાટતા ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે લાહોૈલના સ્પીતિમાં શિંકુલા અનેં બરાલાચા પાસમાં 1 ફુટથી વધુ બરફ વર્ષા થતાં અનેક પ્રવાસીઓ ફસાયા છે. પ્રખ્યાત પ્રવાસન સ્થળ મનાલીને લેહ અને ચંડીગઢ સાથે જોડતાં નેશનલ હાઈ-વે અનિશ્ર્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે. જ્યારે જમ્મુ-શ્રીનગર વચ્ચેનો હાઈ-વે ભુસ્ખલન્નને લીધે બંધ કરી દેવાયો છે.

જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં અનેક સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલો મળ્યા છે. આમાં 10 થી 15 ઘરો ધોવાઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડોડામાં 4 લોકોના મોત થયા છે. જિલ્લાના ભાલેશા, થાથરી અને મારમતમાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં અનેક પુલ પણ ધોવાઈ ગયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે આવેલા અચાનક પૂરમાં ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોના મોત થયા છે. પૂરમાં રહેણાંક વિસ્તારો અને અન્ય મિલકતોને ઘણું નુકસાન થયું છે.

Advertisement

બટોટ-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ડોડા અને કિશ્તવાડમાં જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ પ્રતિભાવ ટીમ એલર્ટ પર છે. બંને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 250 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (ગઇં-244) પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હવામાન સુધરે અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી લોકોને મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આને કારણે વિવિધ સ્થળોએથી વિનાશના સમાચાર આવી રહ્યા છે. મંગળવારે સવારે મનાલીમાં વિનાશ થયો છે. ધુંધી અને અંજચની મહાદેવમાં વાદળ ફાટવાના કારણે બિયાસ નદીમાં પૂરને કારણે પ્રવાસન શહેર મનાલીમાં સેંકડો હોટલો અને અન્ય ઇમારતો જોખમમાં છે.

બિયાસ નદીમાં ફોર લેન અને હાઇવે ધોવાઈ ગયા છે. આના કારણે મનાલીથી અવરજવર સંપૂર્ણપણે કપાઈ ગઈ છે. મનાલીમાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે. પ્રવાસીઓ હોટલોમાં ફસાયા છે, પરંતુ નદી કિનારે આવેલી હોટલોને ખાલી કરાવવામાં આવી છે.

મનાલીના બહાંગમાં પ્રખ્યાત શેર-એ-પંજાબ રેસ્ટોરન્ટ પૂરમાં ધોવાઈ ગયું છે, ફક્ત તેનો દરવાજો બાકી છે, બાકીની ઇમારત બિયાસમાં વહી ગઈ છે. આ રેસ્ટોરન્ટને અડીને આવેલી ચાર દુકાનો પણ ધોવાઈ ગઈ છે.
લાહૌલ સ્પીતિમાં હિમવર્ષાને કારણે પાસમાંથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આના કારણે અહીં પણ સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. શિંકુલા, બરાલાચા અને અન્ય પાસ પર એક ફૂટથી વધુ બરફવર્ષા થઈ છે. લાહૌલ સ્પીતિમાં શિંકુલા અને બરાલાચા પાસ પર એક ફૂટથી વધુ બરફવર્ષા થઈ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ અને અન્ય લોકો ફસાયા છે. મનાલીના વોલ્વો બસ સ્ટેન્ડને પણ નુકસાન થયું છે. પ્રવાસીઓને લઈ જતી સેંકડો બસો અહીં રોકાઈ છે. પૂરની સ્થિતિ જોતાં, કેટલીક બસોને બહાર કાઢવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement