For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુસ્લિમોને પણ ભારતની નાગરિકતા મળી શકશે

11:24 AM Mar 13, 2024 IST | Bhumika
મુસ્લિમોને પણ ભારતની નાગરિકતા મળી શકશે
  • સંશોધિત નાગરિકતાના કાયદાથી કોઈપણ ભારતીયને નાગરિકતા સાબિત કરવાની જરૂર નથી : મુસ્લિમોને પણ હિંદુઓ જેટલાં જ અધિકાર: ગૃહમંત્રાલયનો સધિયારો

Advertisement

CAAપર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું હતું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ડરવું જોઈએ નહીં. ભારતીય મુસ્લિમોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને હિંદુઓ જેટલા જ અધિકાર છે.સીએએને લઈને મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતી વખતે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે CAAકાયદાના અમલીકરણ પછી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં આવશે નહીં.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સીએએમાં એવી કોઈ જોગવાઈ નથી કે જે કોઈપણ ભારતીયની નાગરિકતા પર અસર કરે. ભારતમાં રહેતા 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે આનો કોઈ સંબંધ નથી, જેમને તેમના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો જેવા જ અધિકારો છે. CAAકાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે જોગવાઈઓ છે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવ્યા છે અને અહીં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ તરીકે રહે છે.

Advertisement

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ત્રણ મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને કારણે સમગ્ર વિશ્વમાં ઈસ્લામની છબી ખરાબ રીતે કલંકિત થઈ છે, જો કે ઈસ્લામ શાંતિપ્રિય ધર્મ હોવાના કારણે ક્યારેય ધાર્મિક આધાર પર નફરત, હિંસા અને ઉત્પીડનને પ્રોત્સાહન આપતો નથી. આ કાયદો અત્યાચારના નામે ઇસ્લામની છબીને કલંકિત થવાથી બચાવે છે. આ કાયદાને જરૂૂરી ગણાવતા મંત્રાલયે કહ્યું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે પ્રવાસીઓને આ દેશોમાં પાછા મોકલવા માટે કોઈ કરાર નથી. આ નાગરિકતા કાયદો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ સાથે સંબંધિત નથી. તેથી મુસ્લિમો અને વિદ્યાર્થીઓ સહિત લોકોના એક વર્ગની ચિંતા કે CAA મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ છે તે ગેરવાજબી છે.

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકતા અધિનિયમની કલમ 6 હેઠળ જે પ્રાકૃતિક આધાર પર નાગરિકતા સાથે સંબંધિત છે, વિશ્વમાં ક્યાંય પણ મુસ્લિમોને ભારતીય નાગરિકતા મેળવવા પર કોઈ પ્રતિબંધ નથી. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા પ્રણાલીમાં જરૂૂરી ફેરફારો લાવવા અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને નિયંત્રિત કરવા માટે આ કાયદો જરૂૂરી હતો. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાયદો એવા કોઈપણ મુસ્લિમને વર્તમાન કાયદાઓ હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરવાથી રોકતો નથી કે જેમને તેમના ઈસ્લામના નિયમોનું પાલન કરવા માટે એ ત્રણ ઇસ્લામિક દેશોમાં ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હોય.

Advertisement
Tags :
Advertisement
Advertisement