રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદી, મોદીના નારા લગાવનારાને લાફો મારી દો: કર્ણાટકના મંત્રી

05:47 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

પીએમ નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. તેઓ જ્યાં પણ જાય છે, મોટી સંખ્યામાં યુવાનો પણ તેમના સમર્થનમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં મંત્રી શિવરાજ તંગાડાગીએ પીએમ મોદીને લઈને કંઈક એવું કહ્યું છ, જેને મર્યાદાના છડેચોક ધજાગરા ઉડાવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી મોદીના નારા લગાવતા યુવકો અને વિદ્યાર્થીઓને લાફા મારી દેવા જોઈએ.

Advertisement

મંત્રીએ કહ્યું કે, દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન પુરુ નથી કર્યું. કન્નડ અને સંસ્કૃતિ મંત્રીએ એવું પણ કહ્યું કે, ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં વોટ માગતા શરમ આવવી જોઈએ, કેમ કે તે વિકાસના મોર્ચે નિષ્ફળ રહ્યા છે.તંગાડાગીએ કહ્યું કે, તેમને શરમ આવવી જોઈએ, તેઓ વિકાસનું એક કામ કરી શક્યા નથી, તો પછી કયા મોઢે વોટ માગી રહ્યા છે.

તેમણે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, શું તેમને કોઈને નોકરી આપી. જ્યારે નોકરીઓ વિશે પૂછીએ તો, કહે છે કે પકોડા તળો. તેમને શરમ આવવી જોઈએ.
કોપ્પલ જિલ્લાના કરાતાગીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકને સંબોધન કરતા તેમણે કહ્યું કે, જો કોઈ વિદ્યાર્થી અથવા યુવક હજુ પણ મોદી મોદી કરે તો તેને લાફા મારી દેવા જોઈએ.

Tags :
indiaindia newsKarnatakaKarnataka News
Advertisement
Next Article
Advertisement