ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાબા સિદ્દીકીની હત્યાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

11:20 AM Jun 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મહારાષ્ટ્રમાં NCP અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરેવાલની કેનેડાની સરે પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. સૂત્રોએ જણાવ્યું છે કે મુંબઈ પોલીસ કેનેડાની સરે પોલીસ સાથે સંપર્કમાં છે.

Advertisement

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના નજીકના હતા. તેથી જ તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી મુંબઈ પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન જ ઝીશાન અખ્તરનું નામ સામે આવ્યું હતું. જો કે ઝીશાન અખ્તરની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મુંબઈ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર જલંધરનો રહેવાસી ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરેવાલ છે.
જ્યારે શૂટરોએ સિદ્દીકીને ગોળી મારી ત્યારે તે ઘટનાસ્થળે હાજર હતો. હત્યા પછી, તે પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીની મદદથી વિદેશ ભાગી ગયો હતો.

ઝીશાનની યોજના એવી હતી કે જો બાબા સિદ્દીકી ગોળીબાર કરનારાઓની ગોળીઓમાંથી બચી જાય, તો તે તેને ગોળી મારી દેશે. તે દરમિયાન, તે ફોન પર લોરેન્સના ભાઈ અનમોલ સાથે સંપર્કમાં હતો. બાબા સિદ્દીકી પર ગોળીબાર કર્યા પછી તેણે સ્થળ પરથી ફોટા અને વિડિયો અનમોલને મોકલ્યા હતા.

Tags :
Baba Siddiqui murderBaba Siddiqui murder caseindiaindia news
Advertisement
Advertisement