For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન; 24નાં મોત અનેક દટાયા

11:02 AM Jul 30, 2024 IST | Bhumika
કેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન  24નાં મોત અનેક દટાયા
Advertisement

એરફોર્સના બે હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાયા, ભારે વરસાદથી બચાવકાર્યમાં અવરોધ; મોદી-રાહુલે શોક વ્યકત કર્યો

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં સેંકડો લોકો દટાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાઆજે મંગળવારે વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કાઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે 24 લોકોના મોત થયા છે. જોકે, એક બાળક સહિત આઠ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

Advertisement

ભૂસ્ખલનમાં ઘાયલ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભૂસ્ખલન મુંડક્કાઈ ટાઉનમાં સવારે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ દરમિયાન થયો હતો. મુંડક્કાઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે લગભગ 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળાની નજીક બીજી ભૂસ્ખલન થઈ. કેમ્પ તરીકે ચાલતી શાળા અને આસપાસના મકાનો અને દુકાનોમાં ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવ ભરાઈ ગયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું છે કે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. CMOએ કહ્યું, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કરવામાં આવ્યા છે.

એરફોર્સના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH રવાના થયા છે.કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું કે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં ફાયર વિભાગ અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. KSDMAAએ કહ્યું કે કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ કામગીરીમાં મદદ માટે વાયનાડ મોકલવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ માહિતી આપી છે કે ભૂસ્ખલનના કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા છે. અધિકારીઓએ કહ્યું છે કે સતત ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને તમામ સરકારી એજન્સીઓ શોધ અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે અને રાજ્યના મંત્રીઓ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા વાયનાડ પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન અને વરસાદને કારણે સર્જાયેલી આફતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ (નેશનલ હેલ્થ મિશન) એ કંટ્રોલ રૂૂમ ખોલ્યો છે.

હવામાન વિભાગે પણ કેરળમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા વાવાઝોડા, વરસાદ, વીજળી અને ભારે પવનની શક્યતા છે. વાયનાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે વળતરની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી દુ:ખી છું. મારા વિચારો તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમના માટે પ્રાર્થના કરું છું. હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, "વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂૂપિયા આપવામાં આવશે. ઘાયલોને વળતર તરીકે 50,000 રૂૂપિયા મળશે."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં ભૂસ્ખલન પર શોક વ્યક્ત કર્યો છે. "વાયનાડમાં મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુ:ખી છું," તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, "તેઓ ફસાયેલા છે, તેઓને ટૂંક સમયમાં સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે.

હિમાચલમાં ભૂસ્ખલનથી એકનું મોત, બે ધવાયા
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર પહાડ પરથી પથ્થરો પડતાં વાહનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત કાલકા-શિમલા નેશનલ હાઈવે પર રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે લગભગ 2.30 વાગ્યે થયો હતો. વાહન સવારો ચંદીગઢથી શિમલા તરફ જઈ રહ્યા હતા. ભારે વરસાદને કારણે દાત્યાર નેચર પાર્ક પાસે અચાનક ભૂસ્ખલન શરૂૂ થયું અને વાહનચાલકો તેમાં ફસાઈ ગયા. જેમાં પંજાબના કપૂરથલાના રહેવાસી 40 વર્ષના દેવરાજનું મોત થયું હતું. બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઇએસઆઈ હોસ્પિટલમાં પરવાનુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ નાજુક હોવાથી તેમને પીજીઆઈ, ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement