મરાઠી વિવાદ: થાણેમાં મનસેની રેલી: અનેક નેતાઓની અટકાયત
મરાઠી ન બોલવા બદલ મનસે સભ્યો દ્વારા ફૂડ સ્ટોલ માલિકને થપ્પડ મારવા સામે વેપારીઓના વિરોધનો સામનો કરવા માટે થાણેમાં આયોજિત રેલી પહેલા પોલીસે મંગળવારે વહેલી સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના સ્થાનિક નેતા અવિનાશ જાધવની અટકાયત કરી હતી. મીરા ભાયંદર વિસ્તારમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ દ્વારા પ્રસ્તાવિત રેલીને પોલીસ પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ મનસેના થાણે અને પાલઘરના વડા તરીકે સેવા આપતા જાધવને મીરા ભાયંદર વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા હતા.
રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસેએ જાધવની અટકાયતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. પ્રસ્તાવિત રેલીને કારણે મીરા ભાયંદર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
પોલીસ નોટિસ મળ્યા બાદ એમએનએસના સાત સભ્યોને અસ્થાયી રૂૂપે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ તેમની સામે રમખાણો, ધમકીઓ અને હુમલો કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.
ભાયંદર વિસ્તારના સ્થાનિક વેપારીઓએ ફૂડ સ્ટોલ માલિક પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેના જવાબમાં, ખગજ એ વળતો રેલી કાઢવાની યોજના બનાવી હતી. મીરા ભાયંદર-વસઈ વિરારના નાયબ પોલીસ કમિશનર પ્રકાશ ગાયકવાડે સોમવારે જાધવને વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા માટે પ્રતિબંધિત આદેશ જારી કર્યો હતો.જાધવના ભાયંદર આવવાના પગલાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી તેમના વિસ્તારમાં પ્રવેશ પર એક દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ગાયકવાડે આદેશમાં જણાવ્યું હતું.
પોલીસ આદેશમાં નોંધાયું છે કે જાધવ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં 28 ગુના નોંધાયેલા છે.