For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મને 15 દિવસમાં રાજ્યપાલ બનાવો, શિવસેના નેતાનો ભાજપ સામે બળવો

11:05 AM Aug 07, 2024 IST | Bhumika
મને 15 દિવસમાં રાજ્યપાલ બનાવો  શિવસેના નેતાનો ભાજપ સામે બળવો
Advertisement

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હોવાનો અડસુલેનો દાવો, સાંસદ નવનીત રાણાની જાતિ મામલે સુપ્રીમમાં જવાની ચીમકી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જ શિવસેનાના પૂર્વ સાંસદે ભારતીય જનતા પાર્ટીને અલ્ટીમેટમ આપ્યું છે. એવા અહેવાલો છે કે આનંદરાવ અડસુલે સ્પષ્ટ કર્યું છે કે જો તેમને રાજ્યપાલ બનાવવામાં નહીં આવે તો તેઓ પૂર્વ સાંસદ નવનીત રાણાના મામલામાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. અડસુલે અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે તેમને ગવર્નર પદની ઓફર કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર, અડસુલે મંગળવારે ભાજપને ચેતવણી આપી હતી કે જો તેમને 15 દિવસમાં રાજ્યપાલ બનાવવામાં નહીં આવે તો તેઓ રાણાના જાતિ પ્રમાણપત્ર કેસમાં સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરશે.

Advertisement

ખાસ વાત એ છે કે એપ્રિલમાં જ સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના તે આદેશને ફગાવી દીધો હતો, જેમાં તેમનું અનુસૂચિત જાતિ એટલે કે જઈ પ્રમાણપત્ર રદ કરવાની વાત કરવામાં આવી હતી.

અદસુલે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મને ખાતરી આપી હતી કે મને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મને આશ્વાસન આપ્યું હતું, પરંતુ એકપણ વચન પૂરું થયું નથી. હું કાયમ રાહ જોઈ શકતો નથી. હું આગામી 15 દિવસ સુધી રાહ જોઈશ, પરંતુ તે પછી હું સુપ્રીમ કોર્ટમાં જઈશ અને નવનીત રાણાના જાતિ પ્રમાણપત્ર સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરીશ.

અદસુલે મે મહિનામાં દાવો કર્યો હતો કે અમિત શાહે તેમને ગવર્નરશિપનું વચન આપ્યું હતું જો તેઓ અમરાવતી સીટ પર પોતાનો દાવો છોડી દેશે. ખાસ વાત એ છે કે અડસુલ અમરાવતી સીટ પરથી બે વખત જીતી ચૂક્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પરથી રાણાને મેદાનમાં ઉતાર્યા હતા. સીટ પરનો દાવો છોડી દેનારા અદસુલે કહ્યું કે ભાજપે શિવસેનાને બે કેન્દ્રીય મંત્રી પદ અને બે રાજ્યપાલ પદનું વચન આપ્યું હતું, પરંતુ એકેય પૂર્ણ થયું નથી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે પણ પત્ર લખીને રાજ્યપાલ તરીકે તેમની નિમણૂકની ભલામણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પત્ર ભાજપના ટોચના નેતૃત્વને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. આ વખતે તેમણે કહ્યું, પફડણવીસના વચનને 25 મહિના વીતી ગયા છે અને અમિત શાહના વચનને અઢી મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હવે હું વધુ રાહ જોઈશ નહિ.

Advertisement
Tags :
Advertisement
Advertisement