For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝારખંડના ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત, હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જતા , 3ના મોત

10:03 AM Jul 30, 2024 IST | admin
ઝારખંડના ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત  હાવડા મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જતા   3ના મોત

ઝારખંડના ચક્રધરપુરમાં આજે (30 જુલાઈ) વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

Advertisement

હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા મેલ ઝારખંડના ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રેનમાં સવારે 3 મુસાફરોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રેલવે અને સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 3 મુસાફરોના મોતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના મંગળવારે સવારે લગભગ 3.30 વાગે રાજખરસ્વાન અને બડામ્બો વચ્ચે થઈ હતી, જે સમયે હાવડા મેલ પશ્ચિમ બંગાળના હાવડાથી સીએસએમટી મુંબઈ જઈ રહી હતી.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેન જેવી જ રાજખારસ્વનથી બડાબામ્બો તરફ આગળ વધી, આ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડી પાસે અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટના સમયે, પાટા પરથી ઉતરેલી માલગાડીના ઘણા વેગન હજુ પણ પાટા પર હતા. આ દરમિયાન પાછળથી આવતી હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પર આવી અને પાટા પરથી ઉતર્યા બાદ તેના વેગન પણ પાટા પરથી ઉતરેલી માલગાડીના વેગન સાથે અથડાઈ હતી. આખી ટ્રેન માલગાડીની સામે ઘસતી આગળ પસાર થઈ હતી.જેના કારણે ટ્રેનના તમામ કોચ પલટી ગયા છે. ડીડીસી, સેરાઈકેલા પ્રભાત કુમારે જણાવ્યું કે અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

ડ્રાઇવરની સમજદારીને કારણે મોત ટળી ગયું
રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હોત, પરંતુ હાવડા મેલના ડ્રાઈવરને સમયસર આ દુર્ઘટનાનો ખ્યાલ આવ્યો. તેણે તરત જ ટ્રેનની સ્પીડ ઓછી કરી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારના લગભગ પોણા ચાર વાગ્યા હતા. આ દરમિયાન ચક્રધરપુર રેલવે ડિવિઝન પર ઈમરજન્સી એલર્ટ આવ્યું. હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઓફિસમાં ખળભળાટ મચી ગયો હતો.

હાવડા મુંબઈના ટ્રેક પર ટ્રેનનું સંચાલન બંધ
આ અકસ્માત કિલોમીટર નંબર 298/21 નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના આ માહિતીની પાંચ કે 10 મિનિટ પહેલા થઈ હતી. ચક્રધરપુર રેલ્વે ડિવિઝન હેડક્વાર્ટરથી ARME ટ્રેનને ઉતાવળમાં તૈયાર કરવામાં આવી હતી અને બરાબર 4.15 વાગ્યે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી રાહત ટ્રેનના સ્ટાફે ઘાયલ મુસાફરોને હાવડા મેલમાંથી બહાર કાઢ્યા અને તેમને રેલવે હોસ્પિટલમાં દાખલ કર્યા. આ સાથે બંને ટ્રેક પર થયેલા અકસ્માતોને કારણે હાવડા મુંબઈ રૂટ પર અન્ય ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement