રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શુક્રવારે મહાશિવરાત્રિ: શિવ, સિદ્ધિ અને સાધ્ય યોગનો ઉત્તમ સંયોગ

12:10 PM Mar 06, 2024 IST | admin
Advertisement

મહા વદ તેરસ ને શુક્રવાર તારીખ 8.3.24 આ દિવસે મહા શિવરાત્રી છે. યોગ 26 હોય છે તેમા શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે તે ઉપરાંત શિવ . સિઘ્ધિ .સાધ્ય આ ત્રણ યોગ નો ક્રમ આવે છે અને આ ત્રણેય યોગ સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ ગણવા માં આવે છે આમ આ વર્ષે શિવરાત્રી ના દિવસે આખો દિવસ તથા રાત્રિ ના 12.46 કલાક સુધી શિવ નામ નો યોગ ઉત્તમ છે તથા મહાશિવરાત્રીના દિવસે સવારના 10.40 સુધી શ્રાવણ નક્ષત્ર ઉત્તમ છે તે ઉપરાંત શનિવારે સિધ્ધી નામનો યોગ છે જ્યારે રવિવારે અમાસના દિવસે સાધ્ય નામનો યોગ છે આમ શિવરાત્રી થી શરૂૂ કરી અને રવિવારે અમાસ ના દિવસ સુધી શિવજી ની ઉપાસના કરવી આ વર્ષે ઉત્તમ ફળ આપનાર બનશે અને સિદ્ધિ આપનાર બનશે જીવનમાં કોઈપણ મુસીબત હોય તો તે દૂર કરવા માટે આ વર્ષે શિવરાત્રી થી રવિવારે અમાસ સુધી શિવજી ની કોઈપણ ઉપાસના કરવી અથવા તો ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર ની 21 અથવા દરરોજ 108 ત્રણ દિવસ સુધી માળા કરવી ઉત્તમ ફળ આપનાર અને સિદ્ધિ આપનાર બનશે મુસીબતો દૂર થશે મૃત્યુંજય મંત્રના જપ કરી શકાય છે આ ત્રણ દિવસ દરમિયાન ઉપવાસ અથવા એકટાણું રહેવુ.

Advertisement

શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મૂળ મા બ્રહ્મા મધ્ય વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે .
અલગ અલગ દ્રવ્યથી મળતું ફળ સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બિલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે ઘી થી, સર્વ મનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળ તલ, સુખી દામ્પત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબીટીસ જેવી બીમારી દુર ઓછી કરવા શેરડીના રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો તથા ધન પ્રાપ્તિ માટે શિવજીને બિલીપત્ર ચઢાવવા

મહાશિવરાત્રીના ચાર પ્રહરની પૂજા
મહા શિવરાત્રી ના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રી ના ચાર પ્રહરની પૂજા મહત્વની ગણાય છે. રાત્રી ના ચાર પ્રહરની પૂજા
(1)પહેલા પ્રહર:- મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન - ચોખા કમળ, કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમા સુખડી ધરાવવી
(2)બીજા પ્રહરની પૂજા:- મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું.
(3)ત્રીજા પ્રહરમાં:- મહાદેવજીને દુધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડા ના પુષ્પો અર્પણ કરવા તથા માલ પુવાનું નૈવેદ્ય ચૂરમાના લાડુ ધરવા..બિલિપત્ર અર્પણ કરવા.
(4)ચોથા પ્રહરે:- જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ઠાનનું નૈવેદ્ય ધરાવું

રાશિ પ્રમાણે શિવજીની પૂજા -:
(1)મેષ રાશી (અ,લ,ઇ):- શેરડીના રસ થી અભિષેક કરવો તથા સુખડીનું નેવૈદ્ય ધરાવવું.
(2)વૃષભ રાશી (બ,વ,ઉ):- સાકરવાળા પાણી થી દુધથી અભિષેક કરવો પેંડાનું નેવેદ્ય ધરાવવું.
(3) મિથુન રાશી (ક, છ, ઘ):- કાળા તલથી તથા દુધ થી અભિષેક કરવો સકરીયાનો શીરો ધરાવવો.
(4) કર્ક રાશી (ડ, હ):- દુધથી તથા સાકરવાળા પાણી થી અભિષેક કરવો નૈવેદ્યમાં રાજગરાનો શિરો ધરાવવો.
(5)સિહ રાશી (મ,ટ):- ઘી તથા ચણા ની દાળ થી અભિષેક કરવો ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવૈદ્ય ધરાવવું.
(6)ક્ધયા રાશી (પ,ઠ,ણ):- મધ થી તથા દુધ થી અભિષેક કરવો નૈવેદ્ય મા દુધ પાક ધરાવવો.
(7) તુલા રાશી (ર,ત) :- શેરડી ના રસથી અભિષેક કરવો, દુધની મીઠાઈ ધરાવવી.
(8) વૃશ્ચિક રાશી ( ન,ય):- બીલીપત્ર તથા દુધ થી અભિષેક કરવો નૈવેદ્ય મા તલ ની વસ્તુ ધરાવવી .
(9) ધન રાશી (ભ,ફ્,ધ):- શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી થી અભિષેક કરવો, નૈવેદ્યમાં અળદીયા ધરાવવા.
(10)મકર રાશી (ખ,જ):- કાળા તલથી અભિષેક કરવો, માલપૂવા ધરાવી શકાય.
(11) કુંભ રાશી (ગ,સ,શ):- કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદીયા ધરાવવા.
(12)મીન રાશી (દ,ચ,ઝ,થ):- ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો નેવૈદ્ય મા પીળી મીઠાઈ ધરવી.
નિશીથ કાળ રાત્રે 12:33 થી 1:11 સુધી છે . આ સમયે પણ શિવજી ઉપર રૂૂદ્રી પૂજા અભિષેક કરાવી શકાય છે અને ઉત્તમ ફળ આપનાર છે

 

Tags :
dharmikdharmik newsMahashivratriMahashivratri pooja
Advertisement
Next Article
Advertisement