રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જીવલેણ હવાથી દિલ્હીવાસીઓનું આયુષ્ય 12 વર્ષ ઘટી જશે

05:14 PM Aug 29, 2024 IST | admin
Advertisement

યુનિવર્સિટી ઓફ શિકાગોનો ચોંકાવનારો રિપોર્ટ

Advertisement

દેશની રાજધાની દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણથી ખૂબ જ પરેશાન છે. હવે તેના ગંભીર પરિણામો પણ સામે આવવા લાગ્યા છે. એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ 2024ના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ તેના રહેવાસીઓના સરેરાશ આયુષ્યમાં ઘટાડો કરી રહ્યું છે. દિલ્હી ઉત્તર ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે.

યુનિવર્સિટી ઓફ શિકાગો (ઊઙઈંઈ)ની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતના સૌથી પ્રદૂષિત વિસ્તારો પૈકીના એક એવા દિલ્હીમાં રહેતા 1.8 કરોડ લોકોનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણની સરખામણીમાં સરેરાશ 11.9 વર્ષનું આયુષ્ય ઘટી રહ્યું છે.ભારતના પોતાના રાષ્ટ્રીય ધોરણો અનુસાર, જો પ્રદૂષણનું વર્તમાન સ્તર ચાલુ રહેશે, તો રહેવાસીઓના આયુષ્યમાં 8.5 વર્ષનો ઘટાડો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાજધાની અને દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર પણ છે.

જો કે, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારત તેના પીએમ 2.5 (2.5 માઇક્રોમીટરથી ઓછા વ્યાસવાળા હવામાંના કણો) રાષ્ટ્રીય બેન્ચમાર્કને પૂર્ણ કરે છે, તો દિલ્હીના રહેવાસીઓના આયુષ્યમાં 8.5 વર્ષનો વધારો થઈ શકે છે. ઉપરાંત, જો તે ઠઇંઘના ધોરણોને પૂર્ણ કરે છે તો દિલ્હીના રહેવાસીઓનું આયુષ્ય લગભગ 12 વર્ષ વધી શકે છે.

ઙખ 2.5 શ્વસનતંત્રમાં ઊંડે સુધી પ્રવેશ કરી શકે છે અને શ્વસન સમસ્યાઓ તરફ દોરી જાય છે. તે સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે અને વાયુ પ્રદૂષણનું મુખ્ય પરિબળ છે. રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં વાર્ષિક ઙખ 2.5 સ્ટાન્ડર્ડ 40 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર પર સેટ છે, તેમ છતાં 40 ટકાથી વધુ વસ્તી આ હવામાં શ્વાસ લે છે, જે આ મર્યાદા કરતા વધારે છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું કે બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) અનુસાર, સાંજે 5.30 વાગ્યે ભેજનું સ્તર 85 ટકા હતું. હવામાન વિભાગે ગુરુવારે દિલ્હીમાં પયલોથ એલર્ટ જાહેર કર્યું છે. ઈંખઉની ચેતવણીઓ અનુસાર, પયલોથ એલર્ટ ગંભીર હવામાન અને જીવનને અસર કરી શકે તેવી હવામાનની સ્થિતિ બગડવાની સંભાવના દર્શાવે છે.

Tags :
deadly airdecrease by 12 yearsindiaindia newsLife expectancy of Delhiites
Advertisement
Next Article
Advertisement