ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકી

11:15 AM Sep 23, 2025 IST | Bhumika
Advertisement

દિવાળી પર અયોધ્યામાં અંધારું કરી દેવાની પણ ગીદડ ધમકી

Advertisement

ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને અન્ય રાજ્યોથી પંજાબ આવેલા લોકોને 19 ઑક્ટોબર પહેલાં પંજાબ છોડીને જવાની ધમકી આપી છે. તેણે ધમકી આપી છે કે પંજાબમાં તે જ રહેશે જે દિવાળી નહીં ઊજવે.

આ વર્ષે દિવાળી પર જ્યારે અયોધ્યામાં લાખો દીવડા પ્રગટશે ત્યારે હું ત્યાં અંધારું કરાવીશ. પંજાબ હિન્દુસ્તાનનો હિસ્સો નથી. જે પંજાબીઓ હિન્દુત્વનો આતંક ફેલાવવાનું કામ કરે છે તે પંજાબ છોડે. જે નહીં માને તેને ગંભીર પરિણામો ભોગવવાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આતંકી પન્નુ અવાર નવાર આવી ધમકીઓ આપતો રહે છે.

Tags :
indiaindia newsPunjabPunjab newsterrorist Pannu
Advertisement
Next Article
Advertisement