કેજરીવાલ અંતે કોર્ટ સમક્ષ પ્રગટ થયા
- વીડિયો કોન્ફરન્સિંગથી હાજર થઈ કહ્યું, આગામી તારીખમાં હાજરી આપશે
દિલ્હી સરકારના શરાબ ઘોટાલા કેસમાં અંતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતાં.કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, હું આવવા માંગતો હતો પરંતુ બજેટ અને વિશ્વાસ પ્રસ્તાવને કારણે હું આવી શક્યો નહીં. આગામી તારીખે આવશે. ઈડીએ આનો વિરોધ કર્યો નથી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ સમન્સ બાદ શનિવારે (17 ફેબ્રુઆરી) ઇડી કોર્ટની સુનાવણીમાં હાજરી આપી હતી. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં સામેલ રહ્યો. 17 ફેબ્રુઆરીએ કોર્ટે કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. અરવિંદ કેજરીવાલના વકીલે હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી છે. વકીલે કોર્ટને કહ્યું કે તેઓ બજેટ અને દિલ્હી સરકારના વિશ્વાસ પ્રસ્તાવને કારણે હાજર થઈ શક્યા નથી.
કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, હું આવવા માંગતો હતો પરંતુ બજેટ અને વિશ્વાસ પ્રસ્તાવના કારણે હું આવી શક્યો નહીં. આગામી તારીખે આવશે. ઈડીએ તેનો વિરોધ કર્યો નથી. આ કેસની આગામી સુનાવણી હવે 16 માર્ચે થશે. આજે જ દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મત પર પણ ચર્ચા થશે.અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું કે કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા. આગામી તારીખ 16મી માર્ચ આપવામાં આવી છે. આ મુદ્દે કેજરીવાલ હાજર થશે.જો બધુ બરાબર રહેશે તો કેજરીવાલ 16 માર્ચે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થશે.