For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટક

11:35 AM Feb 01, 2025 IST | Bhumika
સન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટક

કર્ણાટક એ પહેલું રાજ્ય છે જેણે દર્દીઓના ગૌરવ સાથે મરવાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્દેશને અમલમાં મૂકવા માટે ગંભીરતાથી આદેશ જારી કરવાની જાહેરાત કરી છે. કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુરાવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર સુપ્રીમ કોર્ટના નિર્દેશના અમલીકરણની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2023માં ચુકાદો આપ્યો હતો કે જો ગંભીર રીતે બીમાર દર્દીને જીવનરક્ષક દવાઓથી પણ કોઈ ફાયદો ન મળી રહ્યો હોય અને સુધરવાની કોઈ આશા ન હોય તો તેને સન્માન સાથે મરવાનો અધિકાર આપી શકાય.
કર્ણાટક સરકારે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કોઈપણ ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન, એનેસ્થેટીસ્ટ અથવા માનવ અવયવો અને પેશીઓના પ્રત્યારોપણ કાયદા હેઠળ મંજૂર કરવામાં આવેલ ઇન્ટેન્સિવિસ્ટ આવા મૃત્યુ માટે રચાયેલ ગૌણ બોર્ડના સભ્ય હોઈ શકે છે. સભ્યોનું નામાંકન જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આવા મામલામાં બે બોર્ડની રચના કરવી પડશે. હોસ્પિટલ કક્ષાએ પ્રાથમિક બોર્ડની રચના કરવામાં આવશે.

Advertisement

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ માધ્યમિક બોર્ડ હશે.કર્ણાટક સરકારે ખાનગી અને સરકારી હોસ્પિટલો માટે આ આદેશ જારી કર્યો છે. આ આદેશ કોઈપણ હોસ્પિટલને લાગુ પડશે જ્યાં આવા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્ર, ગોવા અને કેરળમાં પણ આ નિર્દેશને લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ નિર્ણય માત્ર ડોક્ટરોને જ નહીં પરંતુ અસાધ્ય રોગોથી પીડિત દર્દીઓના પરિવારોને પણ રાહત આપશે.

તેમણે કહ્યું કે દર્દી બે લોકોને નોમિનેટ કરી શકે છે જે તેની તબીબી સારવાર સંબંધિત નિર્ણય લઈ શકે છે. જો તેની પાસે નિર્ણય લેવાની ક્ષમતા ન હોય તો નામાંકિત વ્યક્તિઓની મંજૂરી જરૂૂરી રહેશે. જો કે, ફક્ત નિષ્ણાતો જ નક્કી કરશે કે સારવારની જરૂૂર છે કે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement