For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ

04:37 PM Feb 01, 2025 IST | Bhumika
સ્ટીમથી વીજળી સુધીની સફર  રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ

તા.3 ફેબ્રુઆરીએ શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે: વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભથી ભારતીય રેલવેની સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થયું

Advertisement

ભારતીય રેલ્વેનો ઇતિહાસ નવીનતા અને પ્રગતિની ગાથા છે, જે દેશની પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. વીજળીકરણની શરૂૂઆત ને 100 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે, એટલે સ્ટીમ એન્જિન લઈને ઇલેક્ટ્રિક ના ટ્રેક્શનની શાંત છતાં શક્તિશાળી પાવરની આ સફર એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાનો પુરાવો છે. 3 ફેબ્રુઆરી, 1925 ના રોજ, ભારતે એક મહત્વપૂર્ણ ઘટના જોઈ - તત્કાલીન ભારતીય રેલ્વે નેટવર્ક પર પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનની શરુઆત. વિક્ટોરિયા ટર્મિનસને કુર્લા સાથે જોડતી પહેલી યાત્રા એક નિર્ણાયક સીમાચિહ્નરૂૂપ સાબિત થઈ, જે આપણા રાષ્ટ્રની જીવનરેખા ના અનંત ભવિષ્યની ઝલક આપે છે. જેમ જેમ આપણે આ શતાબ્દી વર્ષ ની નજીક પહોંચી રહ્યા છીએ, અમે ના માત્ર એક અગ્રેસર તકનીકી સિદ્ધિ ની ઉજવણી કરી રહ્યા છીએ પરંતુ પ્રગતિની તે અદમ્ય ભાવનાની પણ ઉજવણી કરી રહ્યા છીએ જે ભારતીય રેલ્વે ની વિષેસતાઓ બનેલી . 3 ફેબ્રુઆરી, 2025 ના રોજ, આપણે આ ઐતિહકાસિક ક્ષણના વિકાસ, સ્થિતિસ્થાપકતા અને વીજળીકરણના વારસાના શતાબ્દી વર્ષની ઉજવણી કરવા માટે સાથે આવીશું.

Advertisement

ભારતીય રેલ્વેની વાર્તા 1853 માં એક ઐતિહાસિક ક્ષણ થી શરૂૂ થઈ હતી: બોરી બંદર (હવે મુંબઈ) અને થાણે વચ્ચેની 34 કિમીની પહેલી મુસાફરી.આયાતી સ્ટીમ એન્જિનો દ્વારા સંચાલિત આ શરૂૂઆતની ટ્રેનોએ કનેક્ટિવિટીના નવા યુગની શરૂૂઆત કરી. જોકે, આ 1895 માં થયું હતું જયારે ભારતે એફ-ક્લાસ સ્ટીમ લોકોમોટિવ ની સાથે તેની ઔદ્યોગિક ક્ષમતા દર્શાવી હતી જે અજમેરમાં ઉત્પાદિત થનાર પ્રથમ સ્વદેશી એન્જિનહતું. 38 ટન વજન ધરાવતું અને ₹15,869 ના ખર્ચે બનેલું, તે એક ઉભરતા રાષ્ટ્રની એન્જિનિયરિંગ મહત્વાકાંક્ષાઓનું પ્રતીક હતું.

ભારતીય રેલ્વેનું વિદ્યુતીકરણ 1925માં શરૂૂ થયું, જ્યારે વિક્ટોરિયા ટર્મિનસ (હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) અને કુર્લા વચ્ચે 1.5 સટ DC સિસ્ટમ પર પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડી. આ ક્રાંતિકારી પગલાથી ગતિ, કાર્યક્ષમતા અને પર્યાવરણ પર ઓછી નકારાત્મક અસર થઈ. આ પ્રણાલીએ તેના પુરોગામીઓની ઘણી બિનકાર્યક્ષમતાઓને દૂર કરી, જેણે ટકાઉ ભવિષ્યનો પાયો નાખ્યો.

5,400 HPના પાવર આઉટપુટ અને 180 km/h સુધીની ઝડપ સાથે WAP5 , 1995-96 માં શરુ થયું , તેની ઊર્જા કાર્યક્ષમતા અને માઇક્રો પ્રોસેસર-આધારિત નિયંત્રણો સાથે રેલ પરિવહનમાં ક્રાંતિ લાવી. તેવી જ રીતે, 1996 માં રજૂ કરાયેલWAG9 ફ્રેઇટ લોકોમોટિવ, તેની 6,000 HP ક્ષમતા સાથે ભારે ભારને ખેંચવા માટે એક માપદંડ બન્યું.

આ નવીનતાઓએ અનુગામી વિકાસ માટે પાયો નાખ્યો, જેમાં WAP7 (મુસાફર સેવાઓ માટે) અનેWAG12ઇ, ભારે માલ પરિવહન માટે રચાયેલ 12,000 HP માલવાહક લોકોમોટિવનો સમાવેશ થાય છે.

વીજળીકરણ ફક્ત લાંબા અંતરના માર્ગો પૂરતું મર્યાદિત નહોતું. મુંબઈનું ઉપનગરીય રેલ નેટવર્ક ત્યારે 1925 માં 1500 વોલ્ટ ડીસી ઇલેક્ટ્રિક ટ્રેક્શન ની શરૂૂઆત કરી જે વિક્ટોરિયા ટર્મિનસ (હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) ને કુર્લા સાથે જોડતો હતો. શહેરની વધતી જતી વસ્તીની પરિવહન જરૂૂરિયાતોને પૂર્ણ કરતા આ નેટવર્કે શહેરની ગતિશીલતાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ આઇએમયુના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે, 1928 માં મુંબઈ સેન્ટ્રલ કારશેડની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ 1984 માં કાંદિવલી કારશેડની સ્થાપના કરવામાં આવી હતી. 2012 માં ઉદ્ઘાટન કરાયેલ વિરાર કાર શેડ એશિયાનો સૌથી મોટો કાર શેડ છે. વાણગાંવ ખાતે નવી સુવિધા શરૂૂ કરવાની યોજના સાથે, ઉપનગરીય વ્યવસ્થા સતત વિકસિત થઈ રહી છે, જે ટકાઉ અને કાર્યક્ષમ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરે છે.વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભથી ભારતીય રેલ્વેની સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે.

સ્વ-સંચાલિત ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ્સ (ઊખઞ) સાથે, આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન અદ્યતન પ્રોપલ્શન સિસ્ટમ, હળવા વજનના મટિરિયલ્સ અને વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તે માત્ર એક ટ્રેન નથી પણ ભારતની એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાઓનું પ્રતીક પણ છે.

2030 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક
ભારતીય રેલવે ની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા 2030 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાના તેના લક્ષ્યમાં સ્પષ્ટ છે. આ પ્રયાસનો મુખ્ય આધાર હેડ-ઓન જનરેશન સિસ્ટમ છે, જે ઓવરહેડ ટ્રેક્શન લાઇન્સમાંથી સીધી શક્તિ મેળવીને ડીઝલ જનરેટરની જરૂૂરિયાતને દૂર કરે છે. પશ્ચિમ રેલ્વેએ આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેના તમામ 162 એલએચબી રેક હવે HOG સિસ્ટમથી સજ્જ છે. આ ફેરફારને કારણે 2019 અને 2024 વચ્ચે 57 લાખ લિટરથી વધુ ડીઝલની બચત થઈ છે, ઈઘરૂ ઉત્સર્જનમાં લગભગ 15,400 મેટ્રિક ટનનો ઘટાડો થયો છે અને લગભગ ₹51 કરોડની બચત થઈ છે.

વર્ષના અંત સુધીમાં 97 ટકા વીજળીકરણ થશે
ભારતીય રેલ્વે વિદ્યુતીકરણના 100 વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે ભૂતકાળની સિદ્ધિઓ મહત્વાકાંક્ષી ભવિષ્ય માટે એક બ્લુપ્રિન્ટ પૂરી પાડે છે. 2025 સુધીમાં 97% થી વધુ નેટવર્કનું વીજળીકરણ થઈ જશે, તેથી હવે તમામ રૂૂટ પર વીજળીકરણ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રેલ ટેકનોલોજીમાં અગ્રણી દેશો સાથે સહયોગ અને સ્વદેશી સંશોધન અને વિકાસમાં રોકાણ આ યાત્રાના આગામી પ્રકરણને આકાર આપવાનું વચન આપે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement