'દેશ વિરુદ્ધ બોલવા પર જેલ, મોબ લિંચિંગ પર ફાંસીની સજા' લોકસભામાં 3 નવા ક્રિમિનલ કાયદા પાસ
આઝાદી વખતના 3 જુના કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. લોકસભામાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લો બીલને પાસ કરી દેવામાં આવ્યાં છે. નવા કાયદામાં આતંકવાદ, મહિલાઓ વિરુદ્ધ અપરાધો, દેશદ્રોહ અને મોબ લિંચિંગ સંબંધિત નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા છે જ્યારે 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 97 સાંસદો લોકસભાના છે, જ્યારે 46 રાજ્યસભાના છે. ભારતીય ન્યાય (દ્વિતિય) સંહિતા 2023, નાગરિક સુરક્ષા (દ્વિતિય) સંહિતા 2023 અને ભારતીય પુરાવા (દ્વિતિય) અધિનિયમ 2023 પાસ કરી દેવાયા છે.
ઇન્ડિયન જસ્ટિસ (સેકન્ડ) કોડ બિલ-2023, ઈન્ડિયન સિવિલ સિક્યુરિટી (સેકન્ડ) કોડ બિલ-2023 અને ઈન્ડિયન એવિડન્સ (સેકન્ડ) બિલ 2023 રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે આ બિલો રજૂ કરવાનો હેતુ કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવાનો છે.
મહિલાઓ સામેના અત્યાચાર અંગે શું જોગવાઈ છે?
આ બિલમાં હવે ગેંગ રેપના કેસમાં 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. આ સિવાય ખોટા વચનો આપીને અથવા ઓળખ છૂપાવીને શારીરિક સંબંધ બાંધવો પણ હવે ગુનાની શ્રેણીમાં સામેલ થશે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય જાતીય હિંસાના કેસમાં માત્ર મહિલા ન્યાયિક મેજિસ્ટ્રેટ જ નિવેદન નોંધશે. પીડિતાનું નિવેદન તેના ઘરે મહિલા પોલીસ અધિકારીની સામે નોંધવામાં આવશે. નિવેદન નોંધતી વખતે પીડિતાના માતા/પિતા અથવા વાલી હાજર રહી શકે છે.
Had the privilege to speak on the BN (2nd) Sanhita, NS (2nd) Sanhita & Sakshya (2nd) Bills, 2023 in Lok Sabha.
In addition to thanking our Hon. Prime Minister Shri @narendramodi ji & Hon. Home Minister Shri @AmitShah ji for bringing this important bill, I have requested the… pic.twitter.com/bRSXW15ROU
— Poonam Mahajan (@poonam_mahajan) December 20, 2023
રાજદ્રોહ કાયદો નાબૂદ
સરકારે રાજદ્રોહ જેવા કાયદાને રદ કર્યા છે. તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે. 3 કાયદા પરની ચર્ચામાં બોલતાં અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી પરંતુ સજા આપવાનો હતો. તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બીલ 2023 છે જે ભારતીય પુરાવા અધિનિયમ 1872ને બદલે લવાયો છે. આ સિવાય બિલમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની જોગવાઈ છે. તેમજ હવે આજીવન કેદની સજાને 7 વર્ષની કેદમાં બદલી શકાશે.
આતંકવાદ અંગે શું જોગવાઈઓ છે?
ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યા કરવામાં આવી છે અને તેને સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. આ સાથે, કોઈપણ આતંકવાદી કાયદાની કોઈ છટકબારીનો લાભ લઈ શકશે નહીં.
મોબ લિંચિંગ પર કડક કાયદો
જાતિ, જાતિ અને સમુદાયના આધારે હત્યા માટે બિલમાં નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આ બિલમાં મોબ લિંચિંગની ઘટનાઓ માટે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ છે.
આજે (20 ડિસેમ્બર), સ્પીકરે ગૃહના મામલામાં બે વિપક્ષી સભ્યો સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા મંગળવારે 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સોમવારે 33 લોકસભા સાંસદો અને 45 રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે ગુરુવારે 14 ડિસેમ્બરે 13 લોકસભા સાંસદો અને 1 રાજ્યસભા સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.