રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતના ધાર્મિક સ્થળોએ લોહીની નદી વહેવડાવવા ઇસ્લામિક સ્ટેટની ધમકી

05:37 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

ઈસ્લામિક સ્ટેટ ખોરાસાને રશિયા પર હુમલો કર્યા બાદ ભારતને ધમકી આપી છે. ધ ઈસ્લામિક સ્ટેટ વિલ એન્ડયોર શીર્ષકવાળા લેખમાં આઇએસકેપીનો સફાયો કરવા તાલિબાનના દાવાની મજાક ઉડાવી છે.આઇએસકેપી ખોરાસનમાં વધુ મજબૂત બની રહ્યું છે. આઇએસકેપીએ દુનિયાના તમામ કાફિરો અને ઈસ્લામિક દેશોમાં તેમની કઠપૂતળીઓએ મુસ્લિમો પર કરેલા અત્યાચારોની કિંમત ચૂકવવી પડશે.
ઈસ્લામિક સ્ટેટ વિલ એન્ડયોર શીર્ષકવાળો લેખ વોઈસ ઓફ ખોરાસન મેગેઝિનની નવી આવૃતિમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ જ મેગેઝિનના અન્ય લેખ, ધ સ્પાઈડર હાઉસમાં આઈએસકેપીએ ચેતવણી આપી છે કે તાલિબાન અને અન્ય કઠપૂતળી પશ્ચિમી ઈસ્લામિક દેશો દ્વારા કાફિરોને સુરક્ષા આપવામાં આવશે નહીં. તે ટૂંક સમયમાં જ નાસ્તિકોના આ રક્ષકોને હરાવીને અમેરિકા, યુરોપ, ચીન, ભારત અને ઈરાન સુધી પહોંચી જશે.વોઈસ ઓફ ખોરાસન મેગેઝિનમાં ધ ઈન્ડિયન કિંગ્સ એન્ડ તાલિબાન સર્વન્ટસ શીર્ષકથી લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્થળો પર લોહી નદીઓ વહેવડાવવામાં આવશે.જેમાં ભારત અને તાલિબાનના સંબંધો પર વિસ્તૃત લખાયું છે.

Advertisement

Tags :
indiaindia newsIslamic State threat
Advertisement
Next Article
Advertisement