For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લસણને શાકભાજી ગણવું કે મસાલો? હાઇકોર્ટમાં 7 વર્ષ ચાલી લડત

04:51 PM Aug 13, 2024 IST | admin
લસણને શાકભાજી ગણવું કે મસાલો  હાઇકોર્ટમાં 7 વર્ષ ચાલી લડત

મધ્યપ્રદેશના લાખો ખેડૂતોને અસર કરતો ચૂકાદો જાહેર, અંતે લસણનો શાકભાજીમાં સમાવેશ

Advertisement

લસણ મસાલો છે કે શાક એ પ્રશ્ન કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે બે જજની બેન્ચે સાત વર્ષ બાદ તેના પર મડાગાંઠનો અંત લાવ્યો. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે પ્લાન્ટની પ્રકૃતિ અંગે નિર્ણય લેવાનો હતો અને રાજ્ય સરકારના વિરોધાભાસી આદેશોથી પેદા થયેલી સમસ્યા ઉકેલવી પડી હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી મધ્યપ્રદેશ સરકાર ક્યા બજારમાં લસણનું વેચાણ કરી શકે તે નક્કી કરશે એટલું જ નહીં, રાજ્યભરના હજારો કમિશન એજન્ટોને પણ અસર થશે.

મધ્ય પ્રદેશ મંડી બોર્ડે 2015 માં એક ઠરાવ પસાર કર્યો અને લસણને શાકભાજીની શ્રેણીમાં સામેલ કર્યો. જો કે, થોડા સમય પછી, કૃષિ વિભાગે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એક્ટ 1972ને ટાંકીને લસણને મસાલાનો દરજ્જો આપતો ઓર્ડર રદ કર્યો હતો.જસ્ટિસ એસએ ધર્માધિકારી અને જસ્ટિસ ડી. વેંકટરામનની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી અને હવે 2017ના આદેશને યથાવત રાખ્યો છે, જેમાં કહ્યું હતું કે લસણ નાશવંત છે અને તેથી તે શાકભાજી છે. લસણ શાકભાજી અને મસાલા બજાર બંનેમાં વેચી શકાય છે, જેનાથી તેના વેપાર પરના નિયંત્રણોમાંથી રાહત મળશે અને ખેડૂતો અને વિક્રેતા બંનેને ફાયદો થશે.

Advertisement

આ કેસ ઘણા વર્ષોથી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો. પોટેટો ઓનિયન ગાર્લિક કમિશન એજન્ટ એસોસિએશને વર્ષ 2016માં પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટની ઈન્દોર બેંચનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ સિંગલ જજની બેન્ચે ફેબ્રુઆરી 2017માં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.અરજદાર મુકેશ સોમાણીએ જુલાઈ 2017માં તેની સામે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, જેને હાઈકોર્ટે સ્વીકારી હતી અને બે જજોની બેન્ચને મોકલી હતી. ખંડપીઠે જાન્યુઆરી 2024માં ફરી તેને મસાલાની શ્રેણીમાં સમાવીને ચુકાદો આપ્યો હતો કે હાઈકોર્ટના અગાઉના નિર્ણયથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે ખેડૂતોને નહીં.

લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ આ વર્ષે માર્ચમાં તે ઓર્ડરની સમીક્ષાની માંગ કરી હતી. આખરે આ વખતે મામલો જસ્ટિસ ધર્માધિકારી અને વેંકટરામનની બેંચ સમક્ષ આવ્યો. ખંડપીઠે, 23 જુલાઈના તેના આદેશમાં, ફેબ્રુઆરી 2017 ના આદેશને પુન:સ્થાપિત કર્યો, મંડી બોર્ડના મેનેજિંગ ડિરેક્ટરને મંડી નિયમોમાં ફેરફાર કરવાની મંજૂરી આપી, જેમ કે મૂળ 2015 માં કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટના આ આદેશને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement