For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તામિલનાડુ ધારાસભામાં રાષ્ટ્રગીતનું અપમાન: ગવર્નરનો વોકઆઉટ

06:00 PM Jan 06, 2025 IST | Bhumika
તામિલનાડુ ધારાસભામાં રાષ્ટ્રગીતનું અપમાન  ગવર્નરનો વોકઆઉટ

તામિલ થાઇ વાઝવું બગાડયું પણ બંધારણીય ફરજની યાદ અપાવવા છતાં સીએમ સ્ટાલિને રાષ્ટ્રગીત ન ગાયાનો આક્ષેપ

Advertisement

તમિલનાડુમાં રાજ્યપાલ અને સ્ટાલિન સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ શરૂૂ થયો છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ સોમવારે વિધાનસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા. વિધાનસભામાં તેમનું સંબોધન શરૂૂ થવાનું હતું, પરંતુ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ન હતું. આ પછી રાજ્યપાલે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું. રાજ્યપાલે ગૃહને તેની બંધારણીય ફરજ યાદ અપાવી.

રાજ્યપાલ કાર્યાલયે પણ ડ પર એક પોસ્ટમાં કહ્યું કે તમિલનાડુ વિધાનસભામાં રાષ્ટ્રગીત અને ભારતના બંધારણનું અપમાન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આજે તમિલનાડુ વિધાનસભામાં ફરી એકવાર ભારતના બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગીતનું સન્માન કરવું એ આપણા બંધારણમાં સમાવિષ્ટ પ્રથમ મૂળભૂત ફરજોમાંનું એક છે. તે તમામ રાજ્યની એસેમ્બલીઓમાં ગવાય છે.

Advertisement

રાજ્યપાલના કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગૃહમાં રાજ્યપાલના આગમન પર માત્ર તમિલ થાઈ વાઝથુ ગાવામાં આવ્યું હતું. રાજ્યપાલે આદરપૂર્વક ગૃહને તેની બંધારણીય ફરજની યાદ અપાવી અને સીએમ એમકે સ્ટાલિનને અપીલ કરી પરંતુ તેમણે રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કર્યો. બંધારણ અને રાષ્ટ્રગીત પ્રત્યેના આવા બેશરમ અનાદરને કારણે, રાજ્યપાલ ગૃહમાંથી બહાર નીકળી ગયા.

જો કે આ પહેલીવાર નથી કે જ્યારે રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદ થયો હોય. તેમના અગાઉના સંબોધનમાં પણ રાજ્યપાલે વિધાનસભામાં કેટલીક લાઈનો વાંચવાની ના પાડી દીધી હતી. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો. તમિલનાડુની અન્ના યુનિવર્સિટીમાં વિધાનસભા સત્ર દરમિયાન એક વિદ્યાર્થી પર બળાત્કારનો મામલો ચર્ચામાં આવ્યો છે. રાજ્યની વિપક્ષી પાર્ટીઓ સરકાર પર પ્રહારો કરી રહી છે.

આવી સ્થિતિમાં તમિલનાડુ વિધાનસભા સત્ર તોફાની બને તેવી શક્યતા છે. તે જ સમયે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે તમિલનાડુ ગૃહમાંથી બહાર નીકળવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ તમિલનાડુના લોકો અને પોલીસ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેઓ વિધાનસભાનો કોઈ પ્રસ્તાવ સ્વીકારતા નથી.

અલગથી, અઈંઅઉખઊં એ અન્ના યુનિવર્સિટીના જાતીય શોષણના કેસના સંબંધમાં એસેમ્બલીમાં હંગામો મચાવ્યો, નસ્ત્રયાર અંતા સરસ્ત્રસ્ત્ર (કોણ તે પસરથ) દર્શાવતા બેજ અને પ્લેકાર્ડ્સ ચમકાવ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement