For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇન્ડિગોની ફ્લાઇટ સાથે વાવાઝોડું ટકરાતાં ઇમર્જન્સી લેન્ડિંગ: 227 યાત્રિકોનો બચાવ

11:13 AM May 22, 2025 IST | Bhumika
ઇન્ડિગોની ફ્લાઇટ સાથે વાવાઝોડું ટકરાતાં ઇમર્જન્સી લેન્ડિંગ  227 યાત્રિકોનો બચાવ

ગઇકાલે બપોરે દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટે રાબેતા મુજબ ઊડાન ભરી હતી. નિયત રૂૂટ પર ફ્લાઈટ આગળ વધી રહી હતી ત્યારે અચાનક હવામાન પલટાયુ હતું. વાવાઝોડા સામે ટકી રહેવાનું વિમાન માટે મુશ્કેલ બન્યું અને વિમાન હાલક-ડોલક થવા માંડ્યું. વિમાનમાં બેઠેલા પ્રવાસીઓને સીટ બેલ્ટ પહેરી લેવા અને ગભરાટ નહીં અનુભવવા ક્રૂ મેમ્બર્સે સમજાવ્યા હતા. જો કે ઊંચે હવામાં ઊડી રહેલા વિમાન પર સતત વાવાઝોડાની થપાટો વાગી રહી હતી અને પ્રવાસીઓ-સ્ટાફ સહિત 227 લોકોના જીવ પડીકે બંધાયા હતા.

Advertisement

વિમાનના પાયલટ તથા સ્ટાફે સમયસૂચકતા વાપરી પ્રવાસીઓને હિંમત આપી હતી. દરમિયાન પાયલટે શ્રીનગર એરટ્રાફિક કંટ્રોલરને ઈમરજન્સીની સૂચના આપી. બીજી બાજુ, પ્રવાસીઓમાં ઉચાટ અને ગભરાટ સતત વધી રહ્યા હતા. મધદરિયે ઝોલા ખાતી નાવડીની જેમ વિમાન હિલોળા લઈ રહ્યું હતું. કેટલાંક પ્રવાસીઓએ આ ઘટનાનો વીડિયો ઉતારવા માંડ્યો, જ્યારે અનેકે ભગવાનને યાદ કરી બચાવી લેવા પ્રાર્થના શરૂૂ કરી. જેમ-તેમ કરીને પાયલટે સલામત રીતે શ્રીનગર એરપોર્ટ પર વિમાનનું ઉતરાણ કરાવ્યું.

એક પેસેન્જરે દાવો કર્યો હતો કે, વાવાઝોડામાં ફસાયેલી ઈન્ડિગો ફ્લાઈટની આગળની ચાંચ તૂટી ગઈ હતી. વિમાનની ચાંચ તૂટવાની ઘટનાને સત્તાવાર સમર્થન મળ્યુ ન હતું, પરંતુ તેના સફળ ઉતરાણ પછી તૂટેલી ચાંચના ફોટોગ્રાફ્સ વાયરલ થયા હતા. આ સાથે વિમાનમાં કટોકટીના સમયે ગભરાટથી ચીસો પાડતા અને રડી રહેલા પ્રવાસીઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. વિમાનના સફળ ઉતરાણ સાથે જ તમામ પ્રવાસીઓને શ્રીનગર એરપોર્ટ પર સાંત્વના આપી હતી.

Advertisement

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ઈન્ડિગો ફ્લાઈટ 6ઊ2142 દિલહીથી શ્રીનગર જઈ રહી હતી. રસ્તામાં ખરાબ હવામાનના કારણે પાટલટે શ્રીનગર ખાતે એરટ્રાફિક કંટ્રોલરને ઈમરજન્સી અંગે જાણ કરી હતી. સાંજે 6.30 કલાકે ફ્લાઈટે શ્રીનગર એરપોર્ટ પર સલામત લેન્ડિંગ કર્યું હતું. એરલાઈન્સ દ્વારા તમામ 227 પેસેન્જર અને ક્રૂ ટીમ સલામત હોવાનું જણાવાયું હતું. વાવાઝોડાના કારણે વિમાનને નુકસાન થયું હોવાથી તેને પએરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડથ (તકનીકી કારણોસર ઊડાન ભરવા અક્ષમ) જાહેર કરાયું હતું.

ઓવૈસ મકબૂલ હાકીમ નામના મુસાફરે એક્સ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, તેઓ વિમાનમાં શ્રીનગર પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. મૃત્યુ સમીપ હોય તેવો અનુભવ થયો હતો. આ ઘટનામાં વિમાનની ચાંચને નુકસાન થયુ હતું. હાકીમ નામના અન્ય પ્રવાસીએ અન્ય એક પોસ્ટમાં જણાવ્યુ હતું કે, વિમાનની ચાંચ ઉપરાંત તેના જમણા પડખાને પણ નુકસાન થયુ હતું. એરફોર્સ પોલીસ પહોંચી ગઈ હોવાથી વધારે કશું જોવાની મંજૂરી અપાઈ ન હોતી.

દરમિયાન નવી દિલ્હીમાં બુધવારે ભારે વાવાઝોડાં સાથે પડેલાં વરસાદને કારણે અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સને અસર થઈ હતી. એરપોર્ટના સત્તાવાળાઓના જણાવ્યાં અનુસાર, બુધવારે સાંજે એકાએક આવેલા ધૂળની ડમરી સાથેના વાવાઝોડા અને ધોધમાર વરસાદને પગલે 10 જેટલી ફ્લાઈટ્સને નજીકના એરપોર્ટ્સ પર ડાયવર્ટ કરાઈ હતી, જ્યારે અન્ય 50થી વધુ ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી. ઓછામાં ઓછી 10 ફ્લાઈટ્સ જયપુર તરફ રવાના કરાઈ હતી. જ્યારે એક ફ્લાઈટ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement