ભારતની વસતી 146 કરોડ છતાં પ્રજનન દર ઘટ્યો
યુએનએફપીએના રિપોર્ટ મુજબ પ્રજનનદર મહિલા દીઠ 1.9 બાળકો થયો છે, જે વસતીને સ્થિર રાખવા માટે જરૂરી સ્તરથી નીચે છે: 68% વસતી કાર્યકારી વયજૂથમાં
લાંબા સમયથી વસ્તી વિસ્ફોટના ભય હેઠળ જીવી રહેલા ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના એક નવા વસ્તી વિષયક અહેવાલે ચોંકાવનારો અને રાહતભર્યો ખુલાસો કર્યો છે! વર્ષ 2025 માં ભારતની વસ્તી અંદાજે 146 કરોડ (1.46 અબજ) સુધી પહોંચવાની શક્યતા છે, જે તેને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવશે. જોકે, આ જ અહેવાલે એક ક્રાંતિકારી સત્ય ઉજાગર કર્યું છે કે ભારતનો કુલ પ્રજનન દર (Total Fertility Rate) ઘટીને 1.9 બાળકો પ્રતિ મહિલા થયો છે, જે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂૂરી 2.1 ના રિપ્લેસમેન્ટ લેવલથી પણ નીચે છે.
યુએનએફપીએ (UNFPA) ના 2025 સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન (SOWP) રિપોર્ટ, ધ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ, સ્પષ્ટપણે જણાવે છે કે સાચી કટોકટી ઘટતા જન્મદર કે વસ્તી વધારો નથી, પરંતુ લાખો લોકોના અપૂર્ણ પ્રજનન લક્ષ્યો છે! રિપોર્ટ ભારપૂર્વક જણાવે છે કે, વ્યક્તિની સેક્સ, ગર્ભનિરોધક અને કુટુંબ શરૂૂ કરવા અંગે મુક્ત અને જાણકાર પસંદગી કરવાની ક્ષમતા જ આ કટોકટીનો ઉકેલ છે.
આ રિપોર્ટ ભારતીય વસ્તીના માળખામાં મોટા ફેરફારો દર્શાવે છે. ભલે જન્મદરમાં ઘટાડો થયો હોય, પરંતુ ભારતની યુવા વસ્તી હજુ પણ પ્રચંડ છે: 0-14 વર્ષની વય જૂથમાં 24 ટકા, 10-19 વર્ષમાં 17 ટકા, અને 10-24 વર્ષમાં 26 ટકા વસ્તી સમાવિષ્ટ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, દેશની 68 ટકા વસ્તી કાર્યકારી વય જૂથ (15-64 વર્ષ) માં છે. આ પવર્કિંગ-એજથ વસ્તી, જો પર્યાપ્ત રોજગાર અને નીતિગત સહાય સાથે જોડાશે, તો ભારત માટે એક વિશાળ વસ્તી વિષયક લાભ (ઉયળજ્ઞલફિાવશભ ઉશદશમયક્ષમ) પ્રદાન કરી શકે છે.
રિપોર્ટ મુજબ, 2025 સુધીમાં, પુરુષો માટે જન્મ સમયે આયુષ્ય 71 વર્ષ અને મહિલાઓ માટે 74 વર્ષ હોવાનો અંદાજ છે, જે વૃદ્ધ વસ્તી (હાલમાં 7 ટકા) માં આગામી દાયકાઓમાં વધારો થવાની અપેક્ષા દર્શાવે છે.
UNFPA ઇન્ડિયાના પ્રતિનિધિ, એન્ડ્રીયા એમ. વોજનારના જણાવ્યા અનુસાર, ભારતે પ્રજનન દરમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે - 1970 માં પ્રતિ મહિલા લગભગ પાંચ બાળકોથી આજે લગભગ બે સુધી, સુધારેલ શિક્ષણ અને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળની સુલભતાને કારણે.
તેમણે ઉમેર્યું કે, આનાથી માતૃ મૃત્યુદરમાં મોટો ઘટાડો થયો છે, જેના પરિણામે આજે લાખો વધુ માતાઓ જીવિત છે. જોકે, રાજ્યો, જાતિઓ અને આવક જૂથોમાં અસમાનતાઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. વોજનારે ભારપૂર્વક જણાવ્યું કે, સાચો વસ્તી વિષયક લાભ ત્યારે જ આવે છે જ્યારે દરેક વ્યક્તિને જાણકાર પ્રજનન પસંદગીઓ કરવા માટે સ્વતંત્રતા અને સાધનો મળે. ભારત પાસે પ્રજનન અધિકારો અને આર્થિક સમૃદ્ધિ એકસાથે કેવી રીતે આગળ વધી શકે તે દર્શાવવાની એક અનોખી તક છે. આ રિપોર્ટ ભારતની વસ્તી વિષયક યાત્રાના એક નવા અને આશાસ્પદ તબક્કાનો સંકેત આપે છે.
60 વર્ષમાં ક્રાંતિકારી બદલાવ: મહિલા સશક્તિકરણ
1960 માં, જ્યારે ભારતની વસ્તી લગભગ 43.6 કરોડ હતી, ત્યારે સરેરાશ ભારતીય મહિલાને લગભગ છ બાળકો હતા. તે સમયે મહિલાઓનું તેમના જીવન પર ઘણું ઓછું નિયંત્રણ હતું; 4 માંથી 1 કરતા ઓછી મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરતી હતી અને 2 માંથી 1 કરતા ઓછી મહિલાઓ પ્રાથમિક શાળામાં જતી હતી. પરંતુ છેલ્લા દાયકાઓમાં, શૈક્ષણિક સિદ્ધિઓમાં વધારો, પ્રજનન સ્વાસ્થ્ય સંભાળની સુલભતામાં સુધારો, અને મહિલાઓને તેમના નિર્ણયોમાં મળેલા અવાજને કારણે ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. આજે, સરેરાશ ભારતીય મહિલાને લગભગ બે બાળકો છે.