ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતના બ્રાહ્મણો અન્ય દેશવાસીઓના ભોગે કમાઇ રહ્યા છે; નવારોનો નવો લવારો

05:33 PM Sep 01, 2025 IST | Bhumika
Advertisement

યુક્રેન યુદ્ધને મોદી યુદ્ધ કહેનારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા બોલકા સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે. પીટર નવારોએ ભારતની ટીકા કરતી વખતે જાતિનો મુદ્દો ઉઠાવ્યો છે. નવારોએ કહ્યું છે કે ભારતમાં બ્રાહ્મણો અન્ય ભારતીયોના ભોગે નફો કમાઈ રહ્યા છે. નવારોએ કહ્યું છે કે આપણે આને રોકવાની જરૂૂર છે.

Advertisement

અમેરિકન રાજદ્વારી પીટર નવારો એ જ પરંપરાના વારસદાર છે જે રિચાર્ડ નિક્સન અને હેનરી કિસિંજર જેવા અમેરિકન નેતાઓ દ્વારા શરૂૂ કરવામાં આવી હતી. પીટર નવારો એક વિવાદાસ્પદ અને અત્યંત સંરક્ષણવાદી અર્થશાસ્ત્રી છે. હાર્વર્ડમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી ધરાવતા વારો પડે બાય ચાઇના પુસ્તકના લેખક છે, જે તેમની ચીન વિરોધી વિચારધારાને પ્રતિબિંબિત કરે છે.

પીટર નવારો રશિયા પાસેથી તેલ ખરીદવા અને ઊંચા ટેરિફ માટે ભારત પર ટેરિફ કા મહારાજ જેવા તીક્ષ્ણ નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમની આક્રમક શૈલી અને વાણીકતાએ તેમને રાજદ્વારી વિવાદોનું કેન્દ્ર બનાવ્યા.

આ વખતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારતની ટીકા કરતી વખતે નવારોએ જાતિનો મુદ્દો ઉઠાવ્યો. વિદેશી રાજદ્વારી દ્વારા ભારતના સામાજિક માળખા પર આ પ્રકારની પ્રતિક્રિયા ભાગ્યે જ જોવા મળે છે. નવારોએ એક અમેરિકન ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યું, મોદી એક મહાન નેતા છે. મને સમજાતું નથી કે તેઓ પુતિન અને શી જિનપિંગ સાથે કેમ ભળી રહ્યા છે જ્યારે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે.
અમેરિકન વેપાર સલાહકાર નવારોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પીએમ મોદી SCO બેઠકમાં હાજરી આપી રહ્યા છે. તેઓ ગઈકાલે જ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા.

નવારોએ ભારતની વધુ ટીકા કરતા કહ્યું, હું ભારતના લોકોને કહેવા માંગુ છું કે કૃપા કરીને સમજો કે અહીં શું થઈ રહ્યું છે. બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે નફાખોરી કરી રહ્યા છે. આપણે આ બંધ કરવું પડશે.

Tags :
indiaindia newsIndian Brahmins
Advertisement
Next Article
Advertisement