For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

25 જૂન સુધીમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનો વેપાર કરાર થવાની શકયતા

05:42 PM May 28, 2025 IST | Bhumika
25 જૂન સુધીમાં ભારત અમેરિકા વચ્ચે વચગાળાનો વેપાર કરાર થવાની શકયતા

ભારત અને અમેરિકા વચ્ચે 25 જૂન સુધીમાં વચગાળાના વેપાર કરાર પર પહોંચી શકે છે. સૂત્રોને ટાંકીને આ માહિતી પ્રકાશમાં આવી છે. આ માટે, યુએસ અધિકારીઓની એક ટીમ આવતા મહિને વેપાર વાટાઘાટો માટે ભારતની મુલાકાત લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એવી શક્યતા છે કે બંને દેશો 25 જૂન સુધીમાં વચગાળાના વેપાર કરાર પર સંમત થાય. તેમણે કહ્યું, વાટાઘાટો આગળ વધી રહી છે. વસ્તુઓ ટ્રેક પર છે.

Advertisement

આ દરમિયાન, ભારતના મુખ્ય વાટાઘાટકાર, વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે ગયા અઠવાડિયે વોશિંગ્ટનની તેમની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરી. તેમણે પ્રસ્તાવિત કરાર પર તેમના યુએસ સમકક્ષ સાથે વાટાઘાટો કરી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ પણ ગયા અઠવાડિયે વેપાર વાટાઘાટોને ઝડપી બનાવવા માટે વોશિંગ્ટનમાં હતા. તેમની મુલાકાત દરમિયાન, તેઓ બે વાર યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકને મળ્યા.

બંને પક્ષો પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ હપ્તા પહેલાં વચગાળાના વેપાર કરાર પર વિચાર કરી રહ્યા છે. ભારત પર અમેરિકાનો 26 ટકા પારસ્પરિક ટેરિફ આ વર્ષે 9 જુલાઈ સુધી સ્થગિત છે. તે 2 એપ્રિલના રોજ અમેરિકા દ્વારા લાદવામાં આવ્યો હતો. જોકે, ભારતીય માલ પર હજુ પણ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 10 ટકાના બેઝલાઇન ટેરિફનો સામનો કરવો પડે છે. નવી દિલ્હી અમેરિકા પર વચગાળાના વેપાર કરારમાં સ્થાનિક માલ પર 26 ટકા પારસ્પરિક ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિ માટે દબાણ કરી રહ્યું છે. બંને દેશોએ આ વર્ષના અંત (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં પ્રસ્તાવિત ઇઝઅ ના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે.2024-25માં સતત ચોથા વર્ષ માટે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહેશે. તેનો દ્વિપક્ષીય વેપાર 131.84 અબજ યુએસ ડોલર રહ્યો.ભારતના કુલ વેપારી નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 18 ટકા, આયાતમાં 6.22 ટકા અને દેશના કુલ વેપારમાં 10.73 ટકા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement