For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અબુધાબીમાં કાલે પીએમના હસ્તે મંદિરનું ઉદ્ઘાટન: વરસાદથી અહલાન મોદી કાર્યક્રમ ટૂંકાવાયો

11:27 AM Feb 13, 2024 IST | Bhumika
અબુધાબીમાં કાલે પીએમના હસ્તે મંદિરનું ઉદ્ઘાટન  વરસાદથી અહલાન મોદી કાર્યક્રમ ટૂંકાવાયો

ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત પઅહલાન મોદીથ સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે કાર્યક્રમ ટુંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

સમાચાર એજન્સી પીટીઆઈએ આ કાર્યક્રમની તૈયારીઓ સાથે સંકળાયેલા એક અધિકારીને ટાંકીને કહ્યું કે યુએઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
તેથી આ પગલું ભરવું પડ્યું. અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં પીએમ મોદીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમની તૈયારી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે હવામાનને કારણે તેમને કાર્યક્રમમાં લોકોની ભાગીદારી 80,000ને બદલે 35,000 કરવાની ફરજ પડી છે.

ઈવેન્ટની તૈયારીમાં વ્યસ્ત સજીવ પુરૂૂષોત્મનેે જણાવ્યું કે, અબુધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા પ્રવાસી ઈવેન્ટમાંથી એકની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી, પરંતુ અચાનક હવામાનના કારણે કેટલાક લોકો ખરાબ થઈ ગયા. તેમાં ફેરફાર કરવા પડતા હતા. અને હવે ભીડ ઓછી રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લગભગ 60 હજાર લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પુરૂૂષોત્મને જણાવ્યું હતું કે ઇવેન્ટના દિવસે લોકોને પરિવહન કરવા માટે 500 થી વધુ બસો કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે 1000 થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે રહેશે.
મોદી આજે સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતે રવાના થયા હતાં. આ મુલાકાત દરમિયાન તેઓ 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં ઇઅઙજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ તેઓ આ કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને લોકોને સંબોધિત કરશે.

Advertisement

અબુ ધાબીમાં વડાપ્રધાનના વિશાળ કાર્યક્રમને લઈને જારી કરાયેલા નિવેદન અનુસાર પીએમ મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કરશે. આયોજકોએ જણાવ્યું હતું કે યુએઈમાં ખરાબ હવામાન હોવા છતાં અહીં રહેતા ભારતીય સમુદાયના લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભારે વરસાદ હોવા છતાં 2,500 થી વધુ લોકોએ સંપૂર્ણ ગ્રાઉન્ડ રિહર્સલમાં હાજરી આપી હતી. ઇવેન્ટના આયોજનમાં સામેલ સ્વયંસેવકોએ પણ બ્રીફિંગમાં હાજરી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement