રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેંગાલુરુંમાં શોપિંગ માટે નહીં ટોઈલેટ કરવા લોકો મોલમાં જઇ રહ્યા છે

05:50 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પાણીનું સંકટ ઘણું ઘેરૂ થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે લોકો શોપિંગ મોલમાં ફરવા માટે નહીં, પરંતુ ત્યાંના ટોયલેટનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. હા, ઈન્ટરનેટ યુઝર્સે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કહી છે. પાણીની સમસ્યાને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આનો ઉકેલ ક્યારે મળશે કે હજુ ઘણા દિવસો સુધી આ રીતે જીવવું પડશે કે કેમ તે અંગે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. 2023 માં વરસાદના અભાવને કારણે, સમગ્ર કર્ણાટક, ખાસ કરીને બેંગલુરુ તાજેતરના વર્ષોમાં સૌથી ખરાબ જળ સંકટનો સામનો કરી રહ્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા પર જળ સંકટને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભાડૂતોને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવે છે. ઘણા લોકો કામચલાઉ જગ્યાએ ગયા છે. શૌચાલયોમાં ફ્લશ કરવા માટે પણ પાણી નથી, જેના કારણે ઘણી જગ્યાએ દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થિતિ એવી છે કે લોકો શૌચ કરવા માટે મોલમાં જઈ રહ્યા છે અને ત્યાં પણ કતારો છે. પાણીની અછતને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. એક્સ પર એક યુઝરે કહ્યું, ઉનાળો હમણાં જ શરૂૂ થયો છે અને બેંગલુરુમાં પાણીની તંગી છે.
આવી સ્થિતિમાં, મફત બસો અથવા મફત વીજળી વિશે વિચારશો નહીં. એક યુઝરે લખ્યું, પબેંગલુરુમાં પાણીની તંગી વધુ વધવાની છે. તેથી મારે 2 નાના ફ્લેટ ખરીદવા છે, એક મેટ્રો સિટીમાં અને બીજો નાના શહેરમાં.

Tags :
BengaluruBengaluru newsindiaindia news
Advertisement
Next Article
Advertisement