For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

42 ટોલ પ્લાઝા પર ગેરકાયદે નાણા પડાવવાનો ખેલ: સરકારને 120 કરોડનો ચુનો, 14 એજન્સી સામે કાર્યવાહી

10:57 AM Mar 21, 2025 IST | Bhumika
42 ટોલ પ્લાઝા પર ગેરકાયદે નાણા પડાવવાનો ખેલ  સરકારને 120 કરોડનો ચુનો  14 એજન્સી સામે કાર્યવાહી

Advertisement

ટોલ કૌભાંડ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 42 જેટલાં ટોલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે 14 એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલના આધારે NHAIએ જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે અને કરારની શરતોના ઉલ્લંઘન બદલ તેમની લગભગ 100 કરોડ રૂૂપિયાની સુરક્ષા ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સરકારને 120 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
યુપી એસટીએફે મિર્ઝાપુરના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર દરોડા પાડ્યા બાદ ટોલ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, દેશના લગભગ 42 ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર ટોલ વસૂલાત ચાલી રહી હતી.

Advertisement

જેમાં સરકારને કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટોલ પ્લાઝા પર FASTag વગર અથવા પ્રતિબંધિત FASTag વાળા વાહનો પાસેથી એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં હતા.
સમગ્ર મામલે એજન્સી વિરૂૂદ્ધમાં કેસ દાખલ કરવાની સાથે એજન્સીઓને નોટિસ પણ ફટકારવામાં કરવામાં આવી હતી. જ્યારે ટોલ કૌભાંડને લઈને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ત્રણ સભ્યોની તપાસ સમિતિની પણ રચના કરી છે.

સરકારનો દાવો છે કે, ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC ) સિસ્ટમમાં કોઈ ખામી ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેમાં 98 ટકા ટોલ સંગ્રહ ETC સિસ્ટમમાંથી થયો હોવાનું સામે આવ્યું હતું. જો કે, એજન્સીઓ નોટિસનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી, એટલા માટે NHAIએ કાર્યવાહી કરીને જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો અને ડિપોઝિટ પણ જપ્ત કરી હતી.

સરકાર દ્વારા સંસદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખોટી રીતે ટોલ વસૂલવા બદલ 2024માં 12.55 લાખ રૂૂપિયા પરત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ખોટી ટોલ વસૂલાતના કેસોમાં અત્યાર સુધીમાં સંબંધિત એજન્સીઓ પર 2 કરોડ રૂૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખોટા ટોલ વસૂલાતની જાણ કરવામાં આવી હતી. કુલ 410 કરોડ FASTag વ્યવહારો થયા હતા, જે તમામ FASTag વ્યવહારોના 0.03 ટકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement