ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી

10:56 AM Jun 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

બેંગ્લુરુ દુર્ઘટના મામલે કોચ ગંભીરનું નિવેદન

Advertisement

કોચે ગંભીરે બેંગલુરૂૂમાં બુધવારે થયેલા એક અકસ્માતમાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે જ્યારે કોચ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યું કે, આ અકસ્માતનો જવાબદાર તમે કોને માનો છો તો ગંભીરે કહ્યું કે હું કોઈ નથી આ નક્કી કરવાવાળો કે કોણ જવાબદાર છે. પરંતુ, જ્યારે હું ખેલાડી હતો ત્યારે હું આવા રોડ શો પર વિશ્વાસ નહતો કરતો. કોચના રૂૂપે પણ હું તેના પક્ષમાં નથી. લોકોની જિંદગી સૌથી વધુ જરૂૂરી છે. જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો આવા રોડ શોની જરૂૂર નથી .

ગૌતમ ગંભીરે કહ્યું કે હું હંમેશાથી માનું છું કે, રોડ શો ન થવા જોઈએ. મારૂૂ હ્રદય એવા પરિવારો માટે દુ:ખી છે જેણે પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા. જ્યારે 2007માં અમે જીત્યા હતાં, ત્યારે પણ હું આ જ માનતો હતો. આવા આયોજનને બંધ દરવાજાની અંદર અથવા સ્ટેડિયમમાં હોવું જોઈએ. ત્યાં જે કંઈ થયું તે ખૂબ જ દુ:ખદ છે. આપણે એક ખેલાડી, ફ્રેન્ચાઇઝી અને ચાહકના રૂૂપે જવાબદાર હોવું જોઈએ ગંભીરે કહ્યું કે ચાહક વધી શકે છે પરંતુ આપણે જવાબદાર નાગરિકની જેમ વર્તવું જોઈએ.

Tags :
BengaluruBengaluru accidentCoach Gambhirindiaindia news
Advertisement
Advertisement