For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુસ્સો હોય તો પાકિસ્તાન સામે રમવું ન જોઇએ, રમવું હોય તો હાથ મિલાવવા જોઇએ: શશી થરૂર

06:10 PM Sep 25, 2025 IST | Bhumika
ગુસ્સો હોય તો પાકિસ્તાન સામે રમવું ન જોઇએ  રમવું હોય તો હાથ મિલાવવા જોઇએ  શશી થરૂર

એશિયા કપ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે તેવી અપેક્ષા છે, ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરે ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવાના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. થરૂૂરે કહ્યું કે પાકિસ્તાન સામેની લાગણીઓ સમજી શકાય તેવી છે, પરંતુ રમતની ભાવનાને રાજકારણ અને લશ્કરી સંઘર્ષથી અલગ રાખવી જોઈએ.

Advertisement

તેમણે કહ્યું, વ્યક્તિગત રીતે, મારું માનવું છે કે જો આપણે પાકિસ્તાનથી આટલા ગુસ્સે છીએ, તો આપણે બિલકુલ રમવું ન જોઈએ. પરંતુ જો આપણે રમી રહ્યા છીએ, તો આપણે રમતની ભાવનામાં રમવું જોઈએ અને તેમની સાથે હાથ મિલાવવો જોઈએ. અમે આ પહેલા 1999 માં કર્યું હતું, જ્યારે કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું. તે જ દિવસે જ્યારે આપણા સૈનિકો દેશ માટે પોતાના જીવ ગુમાવી રહ્યા હતા, ત્યારે અમે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમી રહ્યા હતા. અમે ત્યારે પણ તેમની સાથે હાથ મિલાવ્યો હતો કારણ કે રમતની ભાવના અલગ છે અને તેનો દેશો કે સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ સંબંધ નથી. તે મારો મત છે.

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે તેમણે કહ્યું કે બંને બાજુની પ્રતિક્રિયાઓ પ્રતિબિંબિત કરે છે રમતગમત ભાવનાનો અભાવ. તેમણે કહ્યું, જો પાકિસ્તાની ટીમે પહેલા અપમાનિત થયા પછી બીજી વખત અમારું અપમાન કર્યું હોય, તો તે દર્શાવે છે કે બંને ટીમોમાં રમતગમત ભાવનાનો અભાવ છે.ઉલ્લેખનીય છે કે ગુરુવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં) એ એશિયા કપ સુપર ફોર મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફ સામે તેમના અયોગ્ય વર્તન બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. BCCIએ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને મોકલી દીધી હતી. ભારતીય ટીમે બંને ખેલાડીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement