For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત સાથે યુધ્ધ થશે તો પાક. સેના નષ્ટ થશે: CIAનો ધડાકો

06:47 PM Apr 24, 2025 IST | Bhumika
ભારત સાથે યુધ્ધ થશે તો પાક  સેના નષ્ટ થશે  ciaનો ધડાકો

Advertisement

અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો એક દસ્તાવેજ ચર્ચામાં છે. આ 1993નો ગુપ્ત અહેવાલ હતો, જે હવે જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેના સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે જો ભારત સાથે બીજું મોટું યુદ્ધ થશે તો તેમની સેના બરબાદ થઈ જશે.

અમેરિકન એજન્સીના આ રિપાફેર્ટમાં ભારત અને પાકિસ્તાનની સૈન્ય અને આર્થિક તાકાતની સરખામણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશોના રાજકીય વાતાવરણ પર પણ ચર્ચા થઈ હતી. અમેરિકન એજન્સીએ આ રિપોર્ટમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઓલઆઉટ વોર થવાની શક્યતા માત્ર 20 ટકા છે. પરંતુ આવું ત્યારે જ થઈ શકે જ્યારે આતંકવાદનો કેસ હોય. તે ઈઈંઅ રિપોર્ટનું શીર્ષક હતું ભારત-પાકિસ્તાન: પોસિબિલિટી ઓફ વોર ઇન 1990.

Advertisement

કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક મળી હતી, જેમાં સિંધુ જળ સંધિને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફ ઘટાડવામાં આવશે અને અટારી બોર્ડર બંધ કરવામાં આવશે. ભારત સરકારે કુલ 5 કડક નિર્ણયો લીધા છે અને યુદ્ધનો ભય પણ છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ભયમાં છે. ત્યાંના ઘણા નેતાઓ સતત એવું કહી રહ્યા છે કે ભારત તરફથી કોઈપણ કાર્યવાહી થઈ શકે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતને યુદ્ધ શરૂૂ કરવામાં કોઈ વ્યૂહાત્મક હિત નથી, પરંતુ પાકિસ્તાનને એ વાતની ચિંતા છે કે જો બીજું મોટું યુદ્ધ થશે તો તેમનો દેશ નહીં તો તેમની સેના ચોક્કસ બરબાદ થઈ જશે. આ સિવાય આ રિપોર્ટમાં પરમાણુ હથિયારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન માને છે કે પરમાણુ હથિયાર તેના પોતાના સંરક્ષણ માટે છે. ભારતની વધતી શક્તિને કારણે તેનું અસ્તિત્વ ખતરામાં છે. આવી સ્થિતિમાં તેનો સામનો કરવા માટે પરમાણુ હથિયારો વિકસાવવામાં આવ્યા છે. યુએસ રિપોર્ટ દર્શાવે છે કે તે પાકિસ્તાનની નાડી અને તેના આતંકવાદને સમર્થન પણ જાણે છે.

યુએસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે ઓલઆઉટ યુધ્ધની કોઈ શક્યતા નથી, પરંતુ ભારત પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલાના જવાબમાં સૈન્ય બળનો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એલઓસી પરથી ઘૂસણખોરી અને આતંકવાદી હુમલા રોકવા માટે ભારત કડક કાર્યવાહી કરી શકે છે.
આ બંને દેશો વચ્ચે યુદ્ધનું સ્વરૂૂપ લઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement