For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2000-2001માં વાજપેયીએ જાહેર કરેલા યુધ્ધવિરામમાં મારી મુખ્ય ભૂમિકા હતી: યાસિન મલિકનો નવો દાવો

11:16 AM Sep 20, 2025 IST | Bhumika
2000 2001માં વાજપેયીએ જાહેર કરેલા યુધ્ધવિરામમાં મારી મુખ્ય ભૂમિકા હતી  યાસિન મલિકનો નવો દાવો

મનમોહનસિંહને લપેટમાં લીધા બાદ સંઘના નેતાઓ તથા ડોભાલ, પૂર્વ એનએસએ બ્રજેશ મિશ્રાને મળ્યા હોવાનું કહ્યું

Advertisement

જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડા અને દોષિત આતંકવાદી યાસીન મલિક, જે દિલ્હીની તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમણે કોર્ટમાં દાખલ કરેલા તાજેતરના સોગંદનામામાં ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. તેમાં, તેમણે તેમના કથિત રાજકીય, ધાર્મિક અને સુરક્ષા સંબંધોની વિગતો આપી છે. 25 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સોગંદનામામાં, મલિકે જણાવ્યું હતું કે ઘણા ભૂતપૂર્વ વડા પ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ, વિદેશી રાજદ્વારીઓ અને ગુપ્તચર અધિકારીઓએ વર્ષોથી તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે બે અલગ અલગ મઠોના શંકરાચાર્યો તેમના શ્રીનગરના ઘરે ઘણી વખત આવ્યા હતા, અને તેઓ જાહેરમાં તેમની સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા.

મલિકનો દાવો છે કે 2011 માં, તેમણે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નેતાઓ સાથે પાંચ કલાક લાંબી બેઠક યોજી હતી. આ બેઠકનું આયોજન થિંક ટેન્ક સેન્ટર ફોર ડાયલોગ એન્ડ રિક્ધસીલેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

પોતાના સોગંદનામામાં, મલિકે એવો પણ દાવો કર્યો છે કે તેમણે 2000-01 માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા જાહેર કરાયેલ રમઝાન યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ દિલ્હીમાં અજિત ડોભાલને મળ્યા હતા, જેમણે તેમને તત્કાલીન ગુપ્તચર બ્યુરોના વડા શ્યામલ દત્તા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા સાથે પરિચય કરાવ્યો હતો. મલિકનો દાવો છે કે આર.કે. વાજપેયીના નજીકના સાથી મિશ્રાએ તેમને પોતાના ઘરે આમંત્રણ આપ્યું અને બ્રજેશ મિશ્રા સાથે નાસ્તાની મુલાકાતનું આયોજન કર્યું. ત્યારબાદ તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં જેકેએલએફના નેતાઓ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના વડા સૈયદ સલાહુદ્દીનનો સંપર્ક કર્યો. મલિકનો દાવો છે કે આ પ્રયાસથી હુર્રિયત નેતાઓ (અલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂૂક અને અબ્દુલ ગની લોન) દ્વારા યુદ્ધવિરામની તરફેણમાં સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું.

યાસીન મલિકે એમ પણ કહ્યું કે વાજપેયી અને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ તેમના પ્રયાસોને ટેકો આપ્યો હતો, અને આ સમય દરમિયાન તેમને પહેલીવાર તેમનો પાસપોર્ટ મળ્યો હતો. 2001 માં જારી કરાયેલા આ પાસપોર્ટનો ઉપયોગ કરીને, તેમણે કાશ્મીર મુદ્દા પર વાતચીતના નામે અહિંસક લોકશાહી સંઘર્ષની હિમાયત કરતા યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement