પાણી લોહી એકસાથે નહીં વહે તો ક્રિકેટ કેવી રીતે રમાશે?
10:56 AM Jul 29, 2025 IST | Bhumika
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોહી અને પાણી એકસાથે ન વહી શકે ના નિવેદન પર પ્રશ્નો ઉઠાવ્યા અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા પર આકરા પ્રહારો કર્યા. તેમણે પૂછ્યું કે જ્યારે પાકિસ્તાન સાથે વેપાર પ્રતિબંધિત છે અને તેમની બોટ ભારતીય પાણીમાં નથી આવી શકતી, તો પછી ક્રિકેટ મેચ કેવી રીતે રમી શકાય?
Advertisement
ઓવૈસીએ સ્પષ્ટપણે પૂછ્યું કે જો પાકિસ્તાન સાથે વેપાર બંધ છે અને તેમની બોટ ભારતીય પાણીમાં પ્રવેશી શકતી નથી, તો પછી પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ કેવી રીતે રમી શકાય? તેમણે બૈસરન ખીણમાં માર્યા ગયેલા લોકોનો ઉલ્લેખ કરતા સરકારના અંતરાત્મા પર સવાલ ઉઠાવ્યા કે આવા સંજોગોમાં ક્રિકેટ મેચને મંજૂરી કેવી રીતે આપી શકાય. ઓવૈસીએ કહ્યું કે તેમનો અંતરાત્મા આવી મેચ જોવાની મંજૂરી આપતો નથી.
Advertisement
Advertisement