રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહારાષ્ટ્રના રાયગઢમાં ભયાનક માર્ગ અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં 2નાં મોત, 55 લોકો ઘાયલ

10:58 AM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

મહારાષ્ટ્રના રાયગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. રાયગઢના માનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે આ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ખાનગી બસ પલટી જતાં બે લોકોના મોત થયા હતા. તે જ સમયે, લગભગ 55 લોકો ઘાયલ થયાના સમાચાર છે.

મળતી વિગતો મુજબ પૂણેથી માનગાંવ આવી રહેલી ટ્રાવેલ્સની બસ MH 04 FJ 6299 સવારે લગભગ 7.30 વાગ્યે માનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તાહમાની ઘાટ પર પલટી મારી હતી. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 55 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માનગાંવ મોકલવામાં આવ્યા છે અને બચાવ કામગીરી બાદ બસને રસ્તા પરથી હટાવી દેવામાં આવી છે.

Tags :
deathindiaindia newsMaharashtraMaharashtra newsRaigadRaigad accident
Advertisement
Next Article
Advertisement