રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભયાનક માર્ગ અકસ્માત: પિકઅપ વાન પલટી જતાં 14 લોકોના મોત, 21 ઘાયલ

10:16 AM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ડિંડોરીમાં પીકઅપ વાહન પલટી જવાથી 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે શાહપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ તમામ લોકો શાહપુરા વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાંથી તેમના ગામ અમહાઈ દેવરી જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બિછિયા-બરઝાર ગામ પાસે થયો હતો. બુધવારે મોડી રાત્રે એક પીકઅપ વાહન પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું અને અચાનક વાહને સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે કાર રોડની બાજુના ખાડામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ લોકો અમહાઈ દેવરી ગામના રહેવાસી હતા અને શાહપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.

મૃતકોની ઓળખ

આ અકસ્માતમાં 9 પુરૂષો છે. પાંચ મહિલાઓના મોત થયા છે. એ જ રીતે ઘાયલોમાં 9 પુરુષ અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોની સ્થિતિને જોતા અત્યાર સુધીમાં ચાર લોકોને જબલપુર રિફર કરવામાં આવ્યા છે. ડિંડોરી પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોની ઓળખ બાબુ લાલ આર્મોના પુત્ર મદન સિંહ (40), પીતમ (16), પુન્નુ લાલ (55), મહદી બાઈ (35), સેમ બાઈ (40), લાલ સિંહ (55), મુલિયા (60) , તિત્રીબાઈ (50), સાવિત્રી (55), સરજુ (45), સમહર (55), મહા સિંહ (72), લાલ સિંહ (27) કિરપાલ (45) તરીકે થઈ છે..

CMએ દુઃખ વ્યક્ત કર્યું, આર્થિક મદદ કરી

દુર્ઘટનાની માહિતી મળતાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં અમૂલ્ય જીવો અકાળે ગુમાવ્યા છે. તેમણે મૃતકોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ સાથે તેમણે તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સરકારી ખર્ચે સારવાર આપવાની ખાતરી પણ આપી છે.

Tags :
accidentdeathindiaindia newsMADHYA PRADESHMadhya Pradesh news
Advertisement
Next Article
Advertisement