રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બિહારના ખગડિયામાં જાનૈયાઓને નડ્યો ભયંકર અકસ્માત: કાર-ટ્રેક્ટર વચ્ચે ટક્કરમાં 3 બાળક સહિત 7નાં મોત

10:21 AM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

બિહારના ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. લગ્નના મહેમાનોથી ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત કુલ 7 લોકોના મોત થયા હતા.

માહિતી મુજબ કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા અને આ દરમિયાન નેશનલ હાઈવે નંબર 31 પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અન્ય 4 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગેની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોની સદર હોસ્પિટલ ખાગરિયામાં સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

Tags :
accidentBiharbihar newsdeathindiaindia news
Advertisement
Next Article
Advertisement