રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આગરા લખનૌ એક્સપ્રેસ વે પર ફરી ભયાનક અકસ્માત: ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાઈ, 3ના મોત, 13ની હાલત ગંભીર

10:20 AM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આગરા લખનૌ એક્સપ્રેસ પર ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સ્પીડમાં આવતી બસ એક્સપ્રેસ વેની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ઘડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 13 લોકોની હાલત ગંભીર છે. બસમાં 40 થી વધુ લોકો સવાર હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જણાવ્યું હતું કે બસમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટના બુધવાર-ગુરુવારની રાત્રે લગભગ 1 વાગ્યે થઈ હતી, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કહ્યું હતું કે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના લોકોની હાલત ગંભીર હોવાથી તેમને શિકોહાબાદ, સૈફઈ અને આગ્રાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સંખ્યા 13 છે. પોલીસને આશંકા છે કે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં, પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે, માહિતી મળતાં જ એસડીએમ સિરસાગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે આ અકસ્માત માઇલ સ્ટોન 59 પાસે થયો હતો.

SDM સિરસાગંજના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ચાર ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા છે. લગભગ એક ડઝન મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના ડબલ ડેકર બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે થઈ છે. આ બસ બહરાઈચથી મુસાફરોથી ભરીને દિલ્હી જવા રવાના થઈ હતી. અહીં 59 માઈલ સ્ટોન પાસે એક ટ્રકમાં કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તેના ડ્રાઈવરે તેને સાઈડમાં ઉભી રાખી હતી. અહીં તેજ ગતિએ આવેલી આ ડબલ ડેકર બસે ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી.

બીજી તરફ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું કે આ બસમાં 40થી વધુ લોકો હતા. બસ કંડક્ટરે 50થી વધુ મુસાફરોને સીટ આપી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર બહરાઈચથી ચાલતી આ બસમાં મોટાભાગના મુસાફરો પયાગપુર ગામના રહેવાસી છે. મુસાફરોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તમામ મુસાફરો સૂતા હોવાથી કોઈને બચવાનો મોકો મળ્યો ન હતો અને તમામ મુસાફરોને ઈજા થઈ હતી. આ તમામ મુસાફરોને 8 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

Tags :
Agra-Lucknow Expresswaybus accidentdeathindiaindia news
Advertisement
Next Article
Advertisement