રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

POKના હિંદુઓ અને મુસ્લિમો પણ આપણા: ચૂંટણી પછી NRC વિષે બોલીશ: અમિત શાહ

11:26 AM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક કાર્યક્રમમાં કહ્યું કે પીઓકે ભારતનો હિસ્સો છે, તેમાં હિંદુ-મુસ્લિમનો સવાલ જ ઊભો થતો નથી. ત્યાંના મુસ્લિમો પણ આપણા છે, ત્યાંના હિંદુઓ પણ આપણા છે. તેમણે કહ્યું કે મેં સંસદમાં પણ આ વાત કહી છે. અમિત શાહે કહ્યું કે મોટા નિર્ણયો એક કે બે લોકો માટે નથી લેવાતા. જ્યારે નીતિ બનાવવામાં આવે છે, ત્યારે તે મોટી સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવે છે. જો કોઈ બલૂચ છે અને અમારી પાસે આવે છે, તો અમે તેના વિશે વિચારીશું. આ કારણે આવેલા કરોડો શરણાર્થીઓના જીવનને બલોચ-બલોચ કહીને બરબાદ ન કરી શકાય.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શરણાર્થીઓ અંગે કહ્યું હતું કે પિકપોકેટીંગ અને ચોરીના મામલા વધશે, જેના પર અમિત શાહે પલટવાર કરતા કહ્યું કે કેજરીવાલજી કંઈપણ બોલ્યા વગર બોલવામાં નિષ્ણાત છે, તેમણે કાયદો વાંચ્યો નથી. આ કાયદો 31 ડિસેમ્બર 2014 સુધી આવેલા શરણાર્થીઓ માટે છે.

Advertisement

એ પણ કહ્યું કે શરણાર્થીઓને પિકપોકેટ કહેવું યોગ્ય નથી. હું કેજરીવાલને કહીશ કે કેટલા રોહિંગ્યા ઘૂસણખોરો આવ્યા છે, તેઓ તેમના પર કેમ ચૂપ છે. ઘૂસણખોરો અને શરણાર્થીઓમાં મોટો તફાવત છે. જે કોઈ ગેરકાયદેસર રીતે દેશમાં આવે છે તે ઘૂસણખોર છે, દેશ તેને સ્વીકારશે નહીં. જે ધાર્મિક જુલમથી આશરો લેવા આવે છે, પોતાના ધર્મની રક્ષા માટે આવે છે, તેની તુલના ઘુસણખોરો સાથે કરી શકાતી નથી.

ઈઅઅ અંગે અમિત શાહે કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તેમાં ગછઈનો કોઈ પ્રભાવ નથી. બંને અલગ છે, નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. નાગરિકતા આપવાની જોગવાઈ છે. વિપક્ષ આ દેશના લઘુમતીઓને ભડકાવી રહ્યો છે. ઈઅઅને કારણે કોઈ પણ વ્યક્તિ તેમની નાગરિકતા ગુમાવશે નહીં. જે શરણાર્થીઓ આવ્યા છે તેમને નાગરિકતા મળશે. ગૃહમંત્રીએ કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે ગછઈ આવશે. એમ પણ કહ્યું કે હું એક એવી વ્યક્તિ છું જે ખૂબ સમજી વિચારીને બોલું છું. તેમણે કહ્યું કે એનઆરસી અંગે પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ હું ચૂંટણી પછી આપીશ.

Tags :
amit shahBJPindiaindia news
Advertisement
Next Article
Advertisement