રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્દિક પંડયા ટી-20 શ્રેણીમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને ફરી કેપ્ટનશિપ?

01:07 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઇસીસી ઓડીઆઇ વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ઓસ્ટ્રેલિયા ટી-20 શ્રેણી અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. હવે આવતા વર્ષે યોજાનારી અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં તેના રમવા પર શક્યતાઓ જોવા મળી રહી નથી. રિપોર્ટ અનુસાર તે 3 મેચની સિરીઝમાંથી બહાર થઈ શકે છે. સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટી20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે.

Advertisement

એએનઆઇના સમાચાર મુજબ, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની ઝ20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. તે ફિટ થઈને આવતા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેદાનમાં પરત ફરે તેવી અપેક્ષા છે. હાર્દિક પંડ્યા ચાર મેચ રમ્યા બાદ પગની ઘૂંટીમાં ઈજાના કારણે ઈંઈઈ ઘઉઈં વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. બોલિંગ કરતી વખતે બોલને રોકવામાં તે પડી ગયો હતો અને ત્યારબાદ ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં રમી શક્યો નહોતો. અફઘાનિસ્તાનની ટીમ આવતા વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ સામે ત્રણ મેચની ઝ20 શ્રેણી રમશે. આ સિરીઝ 11 થી 17 જાન્યુઆરી વચ્ચે રમાશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે આ છેલ્લી ટી20 શ્રેણી હશે. પ્રથમ ટી20 મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. બંને ટીમો 14મીએ ઈન્દોરમાં રમશે.
છેલ્લી ટી20 મેચ 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે.

Tags :
cricketcricket newsHardik Pandyaindiaindia newsSportssports newsSuryakumar YadavT20 SERIES
Advertisement
Next Article
Advertisement