ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભગવાન મને પૂછતા હતા કે, મારું અપમાન થાય તો તને ઉંઘ કેવી રીતે આવે; જૂતાં ફેઇમ વકીલનો બચાવ

11:17 AM Oct 07, 2025 IST | Bhumika
Advertisement

રાકેશ કિશોરને કોઇ અફસોસ નથી, ઔપચારિક ફરિયાદ ન થતાં છોડી મુકાયો

Advertisement

સીજેઆઇ પર જૂતું ફેંકયાના પ્રયાસ બાદ વડાપ્રધાન મોદીએ બનાવને શરમજનક ગણાવી દરેક ભારતીય ગુસ્સે હોવાની પ્રતિક્રિયા આપી હતી. પણ જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરને કોઈ અફસોસ નથી. તે દૈવી શક્તિથી માર્ગદર્શન મેળવ્યું હોવાનો દાવો કરે છે. જો કે, 72 વર્ષીય વકીલ કહે છે કે તેમના સંબંધીઓ આ ઘટનાથી ખૂબ જ નારાજ છે. સાથી વકીલોનું કહેવું છે કે કિશોરે ઘટના બાદ માફી માંગવાનો ઇનકાર કર્યો છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં મયુર વિહારના રહેવાસીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી અને બાદમાં કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ ન થયા બાદ બપોરે 2 વાગ્યે તેને છોડી દીધો. પોલીસે તેના જૂતા પણ તેને પરત કર્યા.

કિશોરે કહ્યું કે તે જેલમાં જવા માટે તૈયાર છે. તેણે એમ પણ સ્પષ્ટ કર્યું કે તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. તેણે કહ્યું, જો હું જેલમાં હોત તો સારું હોત. મારો પરિવાર ખૂબ જ દુ:ખી છે. તેઓ સમજી શકતા નથી. મયુર વિહારના પોતાના નિવાસસ્થાનથી બોલતા, કિશોરે એમ પણ કહ્યું કે તેને દૈવી શક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે ભગવાન વિષ્ણુની માથા વગરની મૂર્તિ સાથે સંકળાયેલા કેસની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ જે કહ્યું તેનાથી તે નારાજ છે.

72 વર્ષીય વકીલે કહ્યું, ચુકાદા પછી હું સૂઈ શક્યો નહીં. તેમણે કહ્યું, ભગવાન મને પૂછી રહ્યા હતા કે આટલા અપમાન પછી હું કેવી રીતે સૂઈ શકું. તેમણે ઉમેર્યું કે શુક્રવારે મોરેશિયસ પર મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીથી તે પણ નારાજ છે. CJI એ ત્યારે કહ્યું હતું, ભારતીય ન્યાયતંત્ર કાયદા દ્વારા સંચાલિત છે, બુલડોઝરના શાસનથી નહીં.

SCBA (સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન) ના સંયુક્ત સચિવ મીનેશ દુબેએ જણાવ્યું હતું કે, તેઓ 2011 થી એસોસિએશનના કામચલાઉ સભ્ય છે, પરંતુ ભાગ્યે જ કોઈ કેસમાં હાજર થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, કાયમી સભ્ય બનવા માટે, વ્યક્તિએ સતત બે વર્ષ સુધી 20 કેસોમાં હાજર રહેવું પડે છે. તેમણે ક્યારેય આ જરૂૂરિયાતો પૂરી કરી નથી.

દુબે ઘટના પછી કિશોર સાથે મળ્યા. તેમણે કહ્યું કે વકીલ પસ્તાવો કરતો નથી. દુબેએ કહ્યું, તેમણે કહ્યું કે તેઓ સાચા છે અને માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. કિશોરના પરિવારે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, તેમની નારાજગી અને શરમ વ્યક્ત કરી હતી.

Tags :
indiaindia newsRakesh KishoreRakesh Kishore newsSupreme Court
Advertisement
Next Article
Advertisement