લ્યો બોલો!!! લોકો સદીઓથી જેને કુળદેવતા માનીને કરતા હતાં પૂજા, તે નીકળ્યુંડાયનાસોરનું ઈંડું
કહેવાય છે કે શ્રદ્ધા તર્ક અને વિજ્ઞાનને પણ સ્વીકારતી નથી. મધ્યપ્રદેશન એક ગામમાંથી એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધી લોકો જે પથ્થરને પોતાના કુળદેવતા માની તેની પૂજા કરતાં હતાં તે નિષ્ણાતોના જૂથે ડાયનાસોરના ઈંડાના અવશેષો તરીકે વર્ણવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પડલ્યા ગામના વેસ્તા મંડલોઈ (40) તેમના પૂર્વજોની પરંપરાને અનુસરીને આ પથ્થરને 'કકર ભૈરવ' તરીકે પૂજતા હતા. તેઓ માનતા હતા કે 'કુલદેવતા' તેમના ખેતરો અને પશુઓને મુશ્કેલીઓ અને દુર્ભાગ્યથી બચાવશે.
'કકર' એટલે જમીન અથવા ક્ષેત્ર અને 'ભૈરવ'નો અર્થ ભગવાન છે. મંડલોઈની જેમ, અન્ય ઘણા લોકો ધાર અને આસપાસના જિલ્લાઓમાં ખોદકામ દરમિયાન મળેલા આવા પથ્થરોની પૂજા કરે છે.
નિષ્ણાતોએ વિસ્તારની મુલાકાત લીધા બાદ સત્ય સામે આવ્યું હતું
જો કે, જ્યારે લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સિસના નિષ્ણાતોએ તાજેતરમાં વિસ્તારની મુલાકાત લીધી અને આ 'પથ્થરના દડાઓ' વિશે જાણ્યું ત્યારે આ બદલાયું. તેઓએ શોધ્યું કે સ્થાનિક રહેવાસીઓ જે 'સ્ટોન બોલ્સ'ની પૂજા કરતા હતા તે ડાયનાસોરની ટાઇટેનોસોરસ પ્રજાતિના અશ્મિભૂત ઇંડા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાબા, અખાડા, જામન્યાપુરા અનેા તાકારીના રહેવાસીઓને પણ ખોદકામ દરમિયાન આવી વસ્તુઓ મળી હતી અને તેઓ પણ ડાયનાસોરના ઈંડાની પૂજા કરતા હતા.
ટાઇટેનોસોર ડાયનાસોર
તે પ્રથમ ભારતીય ડાયનાસોર છે જેનું નામ અને યોગ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રજાતિ સૌ પ્રથમ 1877 માં નોંધવામાં આવી હતી. તેના નામનો અર્થ 'ટાઈટેનિક ગરોળી' થાય છે. ટાઇટેનોસોર ગ્રહ પર ચાલનારા સૌથી મોટા ડાયનાસોર પૈકીના એક હતા. અંદાજ મુજબ, આ પ્રજાતિ લગભગ 70 મિલિયન વર્ષો પહેલા ક્રેટેસિયસ સમયગાળા દરમિયાન પ્રદેશમાં ફરતી હતી.
મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં ઇંડા જોવા મળે છે
આ વર્ષની શરૂઆતમાં, ટાઇટેનિક ગરોળીના 250 થી વધુ ઇંડા, જે એક સમયે નર્મદા ખીણમાં ફરતી હતી, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી મળી આવી હતી.