રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, એક જ ગામના 6 યુવકોના મોત

11:00 AM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ગઈ કાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ ગામના છ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત શ્રીવિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ તમામ લોકો બખ્તાવરપુરા ગામમાં જાગરણમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બખ્તાવરપુરા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીવિજયનગરમાં બુધવારે મધરાતે લગભગ 2 વાગ્યે આ દુ:ખદ અકસ્માત થયો હતો. તે સમયે બખ્તાવરપુરા ગામના છ યુવાનો નજીકમાં આયોજિત જાગરણમાં હાજરી આપી બે બાઇક પર ગામમાંથી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે, 25 જીબી બસ સ્ટેન્ડ પાસે બંને બાઇક એક કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બખ્તાવરપુરા ગામના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ અને ગ્રામજનોએ મૃતદેહો અને ઘાયલોને શ્રીવિજયનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્રણેય ઘાયલોની ગંભીર હાલત જોઈને પ્રાથમિક સારવાર બાદ તેમને શ્રી ગંગાનગર રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.

છ યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર બખ્તાવરપુરા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. વહેલી સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો શ્રીવિજયનગર અને શ્રીગંગાનગર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રણ યુવકોના મૃતદેહ શ્રી વિજયનગરની હોસ્પિટલમાં અને ત્રણના શ્રીગંગાનગરમાં રાખવામાં આવ્યા છે. આજે તેમના પરિવારજનોની હાજરીમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

Tags :
accidentindiaindia newsRajasthanRajasthan newsSriganganagar
Advertisement
Next Article
Advertisement