For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

09:56 AM Oct 10, 2024 IST | admin
પિતા ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

રતન ટાટાનો પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે. તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. રતન ટાટાએ લગ્ન પણ કર્યા ન હતા. અમે તમને રતન ટાટાના દાદા કોણ હતા, તેમના પરદાદા કોણ હતા, તેમના પરિવારના સભ્યો કોણ છે તેની તમામ માહિતી આપી રહ્યા છીએ.જો કે, રતન ટાટાના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તેમના પરિવારના મોટાભાગના સભ્યો લાઈમલાઈટથી દૂર રહે છે. આવો જાણીએ રતન ટાટાના પરિવારના સભ્યો કોણ છે.

Advertisement

જમશેદજી થી શરુ કરીને…
રતન ટાટાના પરદાદા જમશેદજી ટાટા હતા. તેમના લગ્ન હીરાબાઈ સાથે થયા હતા. તેમને બે પુત્રો દોરાભજી ટાટા અને રતનજી ટાટા હતા. જમશેદજીએ 1868માં ભારતના સૌથી મોટા સમૂહ ટાટા ગ્રુપ અને જમશેદપુર શહેરની સ્થાપના કરી હતી. જમશેદ જીનો જન્મ નવસારીમાં પારસી પરિવારમાં થયો હતો. તેણે મુંબઈમાં એક્સપોર્ટ ટ્રેડિંગ ફર્મ શરૂ કરી. તેઓ તેમના પરિવારના પ્રથમ વેપારી હતા.

જમશેદજી ટાટાના પુત્ર દોરાભજી ટાટા પણ એક વેપારી હતા. તેઓ 1904 થી 1928 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. દોરાભ જી ટાટાના લગ્ન મેહરબાઈ સાથે થયા હતા. બંનેના લગ્ન 1896માં થયા હતા. તેને સંતાન નહોતું.

Advertisement

રતન ટાટાના દાદા રતનજી દાદા ટાટા
રતનજી દાદા ટાટા જમશેદ જી ટાટાના બીજા પુત્ર હતા. રતનજી દાદા ટાટાનો જન્મ 1856માં નવસારીમાં થયો હતો. તેઓ 1928 થી 1932 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. તેણે સુની નામની ફ્રેન્ચ મહિલા સાથે લગ્ન કર્યા. નામ નવજાબાઈ હતું. બંનેના લગ્ન 1892માં થયા હતા. બંનેને પોતાના સંતાનો પણ નહોતા. જોકે તેણે એક બાળક દત્તક લીધું હતું. નામ હતું નેવલ ટાટા.

રતનજી દાદા ટાટાએ બોમ્બેની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેણે મદ્રાસમાં એગ્રીકલ્ચરનો કોર્સ કર્યો. બાદમાં તેઓ પૂર્વ એશિયામાં તેમના પરિવારના વ્યવસાયમાં જોડાયા.

રતન ટાટાના પિતા નવલ ટાટા હતા
નવલ ટાટા રતનજી દાદા ટાટાના દત્તક પુત્ર હતા. નવલ ટાટાની પહેલી પત્નીનું નામ સુની હતું. તેમને બે પુત્રો રતન ટાટા અને જીમી હતા. જેમ રતન ટાટા બેચલર હતા તેમ જીમીએ પણ લગ્ન કર્યા ન હતા. નવલ ટાટા અને સુનીના છૂટાછેડા થઈ ગયા હતા. બાદમાં તેણે સિમોન નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આનાથી તેમને નોએલ ટાટા નામનો પુત્ર થયો. એટલે કે નોએલ ટાટા અને રતન ટાટા સાવકા ભાઈઓ છે.

રતન ટાટા અને જીમી ટાટા
નોએલ ટાટાએ આલૂ મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે. બંનેને ત્રણ બાળકો છે, જેમના નામ નેવિલ, લેહ અને માયા ટાટા છે. નેવિલે કિર્લોસ્કર ગ્રુપની સભ્ય માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે. જ્યારે, જો આપણે લેહ ટાટા વિશે વાત કરીએ, તો તેણીએ સ્પેનમાંથી અભ્યાસ કર્યો છે. ત્યાંથી તેણે માસ્ટર ડિગ્રી લીધી.

Advertisement
Tags :
Advertisement
Advertisement