મિત્રો...નોટબંધીને 9 વર્ષ પૂરા: નોટ બદલી સમસ્યા યથાવત
ન કાળુ નાણુ નાબુદ થયુ કે ન નકલી ચલણ... વર્ષોથી ભેગી કરેલી મરણમૂડી સાફ થઇ ગઇ, આમ જનતાની સમસ્યા પણ ત્યાંની ત્યાં
નોટો બલલવા લાગેલી લાઇનો, ન ભૂતો ન ભવિષ્યતિ ; સરકારના નિર્ણયની સફળતા-નિષ્ફળતા અંગે આજે પણ વિવાદ યથાવત
દેશભરમાં બચતની સંસ્કૃતિ અને જીવનશૈલી બદલી નાખનાર મોદી સરકારની નોટબંધીને આજે 9 વર્ષ પૂરા થાય છે. દેશમાંથી કાળુ નાણુ અને નકલી ચલણ નાબુદ કરવાના ઉદેશ્યથી રૂા.500 અને રૂા.1000ની નોટો ચલણમાંથી રાતોરાત નાબુદ કરવાનો મોદી સરકારે નિર્ણય લીધો અને તેના કારણે દેશભરની જનતા મહિનાઓ સુધી નોટો બદલવા લાઇનોમાં લાગી ગઇ હતી. દેશમાં જાણે એક નવો જ ઇતિહાસ આલેખાયો હતો અને મોદી સરકારનો આ નિર્ણય ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંતુ આ નિર્ણય સફળ થયો કે નિષ્ફળ ? કાળુ નાણુ અને નકલી ચલણ નાબુદ થયું કે નહીં ? તે આજે પણ ચર્ચાનો વિષય છે. વિરોધ પક્ષો મોદી સરકારના આ નિર્ણયને આજે પણ દેશની જનતાની ફૂટ મજાક સમાજ ગણાવી રહયા છે. જયારે ભાજપના નેતાઓ તેના ફાયદા ગણાવી રહયા છે. પરંતુ દેશની જનતા નોટો બદલવા RBI લાગેલી લાઇનોની યાદ માત્રથી ધ્રુજી જાય છે. જો કે, સમય જતાં લોકો બધુ ભૂલી આગળ નીકળી ગયા છે અને ભાજપે પણ મોદી સરકારની ઉપલબ્ધીઓના લિસ્ટમાંથી નોટબંધીની ‘સફળતા’ના મુદ્દાને શિફત પૂર્વક દૂર કરી દીધો છે.
9 વર્ષ પહેલા સરકારે નોટબંધી કરી ત્યારે સરકાર અને સરકારના ટેકેદારો દ્વારા અનેક ફાયદાઓ ગણાવતા હતા અને લોકો પણ ભવિષ્યમાં ફાયદો થવાની આશા સાથે મહિનાઓ સુધી નોટો બદલવા કામ-ધંધા, બાલ-બચ્ચા મુકીને પણ લાઇનોમાં ઉભા રહ્યા હતા. પરંતુ આજે 9 વર્ષ માદ કાળુ નાણુ, ત્રાસવાદ, નકલી ચલણથી માંડી મોંઘવારી-બેરોજગારી સહિતની સમસ્યા યથાવત છે. માત્ર રૂા.500 અને રૂા.1000ની જૂની નોટો સ્થાન રૂા.2 હજારની ગુલાબીનોટે લીધુ અને પાછળથી રૂા.500ની નોટ પણ નવા સ્વરૂપે શરૂ કરવામાં આવી... મોડેથી ખ્યાલ આવ્યો છે. રૂા.2 હજારની નોટથી તો કાળાનાણાનો સંગ્રહ ઉલ્ટાનો સરળ બની ગયો છે. આથી રૂા.2 હજારની નોટ પણ હવે સિફટ પૂર્વક તબકકાવાર પાછી ખેંચવામાં આવી રહી છે.
નોટબંધીની સફળતા-નિષ્ફળતાની વાત આવે ત્યારે આર્થિક નિષ્ણાતો પણ માથુ ખંજવાળવા લાગે છે. ત્યારે કાળી મંજૂરી કરીને પેટીયુ રળતા ગરીબ શ્રમિકો RBI તો સરકારનો આ નિર્ણય એક દૂસ્વપ્ન સમાન જ હતો.
આજે 8 નવેમ્બર 2025ના રોજ, દેશના ઈતિહાસના એક ઐતિહાસિક અને આઘાતજનક આર્થિક નિર્ણય, નોટબંધીને નવ વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર, 2016ના દિવસે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રાષ્ટ્રજોગ સંબોધન કરીને 500 અને 1000 રૂૂપિયાની નોટોને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી સમગ્ર દેશ ચોંકી ગયો હતો.
નોટબંધીના આ નિર્ણયે દેશની અર્થવ્યવસ્થા, બજાર અને સામાન્ય માણસથી લઈને ખાસ વ્યક્તિ સુધીના જીવનને હચમચાવી દીધું હતું. સિસ્ટમમાં રોકડની તીવ્ર અછત થતા, લોકોને ઝડપથી રાહત આપવા RBI દ્વારા પ્રથમ વખત 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ ત્યાર બાદ પણ મહિનાઓ સુધી લોકો રોકડ મેળવવા RBI બેન્ક અને ATMની બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર હતા.
10 નવેમ્બર 2016ના રોજ 500 રૂૂપિયાની નવી નોટ અને વર્ષ 2017માં 200 રૂૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. મે, 2023માં RBI એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, પરંતુ તે હજુ પણ તે હજુ સુધી લીગલ ટેન્ડર તરીકે (Legal Tender) માન્ય છે.
સરકારનો મુખ્ય દાવો હતો કે, નોટબંધીનો હેતુ કાળા નાણાં, આતંકવાદના ફંડિંગ અને નકલી ચલણ પર લગામ લગાવવાનો છે. જોકે, આંકડાઓ દર્શાવે છે કે બંધ કરાયેલા આશરે રૂૂ. 15.44 લાખ કરોડમાંથી રૂૂ. 15.31 લાખ કરોડ બેન્કિંગ સિસ્ટમમાં પાછા ફર્યા હતા, એટલે કે 99% થી વધુ નાણાં સફેદ બની ગયા. નકલી નોટોનું પ્રમાણ ઘટ્યું, પણ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.
નોટબંધીના કારણે નાના ઉદ્યોગો, રોકડ-આધારિત સેક્ટર અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો હતો. નાના ઉદ્યોગોને પાટા પર આવતા ઘણા વર્ષો લાગ્યા. જાણકારો માને છે કે નોટબંધીને કારણે GDPમાં પણ ઘટાડો નોંધાયો હતો. કાળું નાણું ખતમ થયું કે નહીં, તે મુદ્દે રાજકીય ઘમસાણ હજુ પણ યથાવત છે.
ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ આવી
જો નોટબંધીની કોઈ સૌથી મોટી અને સકારાત્મક ઉપલબ્ધિ હોય, તો તે દેશમાં આવેલી ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ છે. Paytm, PhonePe, Google Pay જેવી UPI એપ્સે ગામડે-ગામડે લેવડ-દેવડની રીત બદલી નાખી. આજે UPI દ્વારા રોજના લગભગ 14 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે, જે 2016ની તુલનામાં 1000 ગણાથી પણ વધુ છે. નોટબંધી દરમિયાન રોકડની અછતના કારણે નાના દુકાનદારોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી તમામ વર્ગોમાં ચછ કોડ દ્વારા પેમેન્ટ ઝડપથી લોકપ્રિય થયું.