રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાગપુરમાં એક જ પરિવારના ચાર સભ્યોનો ગળાફાંસો ખાઇ આપઘાત

11:08 AM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક જ પરિવારના 4 લોકોએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને તપાસ આરંભી છે. જોકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

આ ઘટના નાગપુરના નરખેડ તાલુકામાં આવેલ મોવાંડ ગામમાં સામે આવી છે. પોલીસને આ સમગ્ર મામલે એક સુસાઈડ નોટ મળી છે. જેમાં સામે આવ્યું કે પરિવારના એક પુત્રની છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ હતી. જેના કારણે પરિવાર ટેન્શનમાં રહેતો હતો. તેમના મગજ પર આ બાબત એટલી હાવી થઈ ગઈ કે તેમણે જિંદગીથી હારીને મોતને વ્હાલું કરી લીધું. પાડોશીઓને જ્યારે ઘરના સભ્યો દેખાયા નહિ કે બહાર દેખાયા નહિ તો તેમને શંકા ગઈ અને પોલીસને જાણ કરી. પોલીસે આવીને જ્યારે ઘરનો દરવાજો તોડ્યો તો અંદર 4 લોકોના મૃતદેહ લટકતી હાલતમાં હતા. મૃતકોની ઓળખ પોલીસે કરી જેમાં એક નિવૃત્ત શિક્ષક વિજય કુમાર (ઉંમર-68 વર્ષ), તેમની પત્ની માલા (ઉંમર-55 વર્ષ), બંને પુત્રો ગણેશ અને દીપ (ઉંમર 38 અને 36 વર્ષ) હોવાનું સામે આવ્યું.

સમગ્ર મામલે હાલ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસે કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે 2018માં દિલ્હીના બુરાડીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ઘરના 11 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. નાગપુરમાં બનેલી આ ઘટના ફરી એકવાર બુરાડીની ઘટનાને લોકોને યાદ અપાવી દીધી.

Tags :
indiaindia newsMaharashtraMaharashtra newssuicide
Advertisement
Next Article
Advertisement