ફૂડ કંપની માલિકની પત્નીએ ઝેર પીધું: કેન્દ્રીયમંત્રી સામે આરોપ
અહીંના માં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પાયલ મોદીએ ઘરમાં રાખેલા ઉંદરનું ઝેર ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.. જે બાદ તેમને બંસલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે પાયલની હાલત હજુ પણ નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાયલે કયા કારણોસર ઝેર પીધું તે હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ ચાલી રહી છે. પાયલની કથિત સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને અન્ય 5 લોકો પર આરોપ લગાવવામાં આવ્યા છે.
પાયલ મોદી જયશ્રી ગાયત્રી ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. પાયલ કિશન મોદીની પત્ની છે. કિશન મોદી જયશ્રી ગાયત્રી ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને એમડી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રાજધાની ભોપાલ ઉપરાંત સિહોર અને મુરેના જિલ્લામાં મેસર્સ જયશ્રી ગાયત્રી ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પાયલ મોદીની કથિત સુસાઈડ નોટમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને તેમના અન્ય પાંચ સહયોગીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ચંદ્ર પ્રકાશ પાંડે, વેદ પ્રકાશ પાંડે, સુનીલ ત્રિપાઠી, ભગવાન સિંહ મેવાડા અને હિતેશ પંજાબીના નામ સામેલ છે. માહિતી મુજબ ચંદ્ર પ્રકાશ પાંડે અને ચિરાગ પાસવાન સગા ભાઈ છે. વેદ પ્રકાશ પાંડે અને ચંદ્ર પ્રકાશ સાચા ભાઈઓ છે. સુસાઈડ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉપરોક્ત તમામ લોકો ચિરાગ પાસવાનની રાજકીય શક્તિનો ઉપયોગ મોદીની કંપનીઓ પર ઈૠજઝ, ઋઋજઈં, ઊઘઠ, ઊઉના દરોડા પાડવા માટે કરી રહ્યા છે.
ટીઆઈ ભૂપેન્દ્ર કોલ સંધુએ જણાવ્યું કે પરિવારના સભ્યોએ સુસાઈડ નોટ છોડવાની વાત કરી છે. હાલ સુસાઈડ નોટ કબજે કરવામાં આવી નથી. જપ્ત કરી તપાસમાં સામેલ કરવામાં આવશે. જયશ્રી ગાયત્રી ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિક કિશન મોદીએ પુષ્ટિ કરી છે કે સુસાઈડ નોટ તેમની પત્નીએ લખી હતી.