બિહારમાં સરકારી મકાનની છત તૂટતાં પરિવારના પાંચનાં મોત
11:30 AM Nov 10, 2025 IST | admin
ઉંઘવાની તૈયારી કરી રહેલો પરિવાર દબાઈ ગયો
Advertisement
બિહારના દાનાપુરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલા મકાનની છત ખાબકતાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓનાં મોત થયાં છે. આ ઘટના અકિલપુર થાણા વિસ્તારના માનસ ગામમાં બની, જેમાં એક મહિલા, એક પુરુષ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મૃતદેહોને મળબામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની, જ્યારે પરિવારે રાત્રિભોજન કર્યા પછી ઊંઘવા જવાનું શરૂૂ કર્યું હતું. તે જ વખતે અચાનક મકાનની છત ભરભરાઈને ખાબકી પડી. આખા પરિવારને મળબા નીચે દબાઈ ગયા. ઘટના સાંભળીને આખા વિસ્તારમાં હડબડાટ મચી ગઈ અને લોકો ઘટનાસ્થળ તરફ દોડ્યા. પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ ઘણું વધુ થઈ ગયું હતું. મળબામાંથી પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ તેઓ જીવિત ન બચી શક્યા.
Advertisement
Advertisement
