For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પર

06:07 PM May 27, 2025 IST | Bhumika
હૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પર

1.2 લાખનું ઇન્જેકશન ઇએમઆઇ પર આપવા સ્વિસ કંપની ભારતની 4 કંપનીઓ સાથે જોડાણ કરશે

Advertisement

સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની નોવાર્ટિસે ભારતમાં એક અનોખી પહેલ કરી છે. કંપનીએ તેની કોલેસ્ટ્રોલ ઘટાડતી દવા સાયબ્રાવા (ઇન્ક્લિસિરન) ને વધુ સસ્તું બનાવવા માટે EMI યોજના શરૂૂ કરી છે. આ દવા હૃદયના દર્દીઓ માટે બનાવવામાં આવી છે, પરંતુ તેની ઊંચી કિંમત (પ્રતિ ઇન્જેક્શન રૂૂ. 1.2 લાખ) ને કારણે મોટાભાગના દર્દીઓ તે પરવડી શકતા ન હતા. હવે નોવાર્ટિસે વ્યાજમુક્ત હપ્તાઓ ઓફર કરવા માટે પાઈન લેબ્સ સાથે ભાગીદારી કરી છે.

અહેવાલ મુજબ, દર્દીઓ 15,000-16,000 રૂૂપિયાના માસિક હપ્તા ચૂકવીને આ દવાથી સારવાર મેળવી શકશે. સારવારમાં વર્ષમાં બે ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. પહેલું તાત્કાલિક, બીજું 90 દિવસ પછી અને પછી દર 6 મહિને. કેટલાક કાર્ડિયોલોજિસ્ટના મતે, નોવાર્ટિસની બીજી યોજનામાં, જો તમે પહેલું ઇન્જેક્શન ખરીદો છો, તો બીજું મફત આપવામાં આવે છે, પરંતુ પહેલાની સંપૂર્ણ કિંમત EMI દ્વારા ચૂકવવી પડે છે.

Advertisement

ભારતમાં આ દવાની કિંમત પ્રતિ ડોઝ ₹1.2 લાખ છે, જ્યારે અમેરિકામાં તેની કિંમત ₹2.9 લાખ છે (લેક્વીઓ બ્રાન્ડ હેઠળ). અત્યાર સુધીમાં ભારતમાં 3,000 થી વધુ દર્દીઓએ આ દવાનો ઉપયોગ કર્યો છે.
નોવાર્ટિસે દવાની પહોંચ વધારવા માટે ભારતીય કંપનીઓ મેનકાઈન્ડ ફાર્મા, જેબી ફાર્મા અને લ્યુપિન સાથે જોડાણ કર્યું છે. આ કંપનીઓએ અલગ અલગ બ્રાન્ડ નામો હેઠળ દવા લોન્ચ કરી છે. એ મુજબ મેનમાઇન્ડ : ક્રેન્ઝ્લો (ક્રેન્ઝ્લો), લ્યુપિન: તિલ્પાઝન (તિલ્પાઝન), જેબી ફાર્મા: ઇઝિરાઇઝનો સમાવેશ થાય છે.

મેનકાઇન્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ દવાને વધુ સસ્તું બનાવવા માટે દર્દી સહાય કાર્યક્રમ પર પણ વિચાર કરી રહ્યા છે. એપ્રિલ 2024 થી આજ સુધી તમામ ઇન્ક્લિસિરન સંબંધિત કંપનીઓનું કુલ વેચાણ રૂૂ. 7.7 કરોડ હતું. આ દવા વિશે કાર્ડિયા ેલોજિસ્ટના બે મંતવ્યો છે: જસલોક હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો.નિહાર મહેતા કહે છે, આ દવા હૃદયના દર્દીઓ માટે વરદાન છે. જ્યારે સ્ટેટિન દવાઓ કામ નહીં કરે, ત્યારે આ એક નવો વિકલ્પ બની જશે. જ્યારે, હિરાનંદાની હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ એલ.એચ. ડો. ગણેશકુમાર કહે છે, આ દવાનો ઉપયોગ ફક્ત મર્યાદિત સંખ્યામાં દર્દીઓ પર જ થવો જોઈએ. મેં ગયા વર્ષે આ દવા ફક્ત 10 દર્દીઓને આપી હતી, જોકે મેં 2,000 થી વધુ દર્દીઓની સારવાર કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement