ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યો

11:28 AM Jun 25, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ચૂંટણી રદ કરતા અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા બાદ તત્કાલીન પીએમએ નાગરિક અધિકારો રદ કર્યા, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલ્યા, સેન્સરશીપ લાદી

1975 માં, 25 અને 26 જૂનની વચ્ચેની રાતથી 21 માર્ચ 1977 (21 મહિના) સુધી, તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી. આજે આ કટોકટીને 49 વર્ષ પૂર્ણ થયા છે. તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારની ભલામણ પર તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં કટોકટી જાહેર કરી હતી.

કટોકટીનું મુખ્ય કારણ અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય હોવાનું કહેવાય છે. તે નિર્ણયમાં, તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને ચૂંટણી પ્રચારમાં ગેરવર્તણૂક બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હકીકતમાં, ઈન્દિરા ગાંધીએ 1971ની ચૂંટણી મોટા માર્જિનથી જીતી હતી. પાર્ટીને પણ મોટી જીત મળી હતી. હરીફ રાજ નારાયણે ઈન્દિરાની જીત પર સવાલ ઉઠાવતા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. રાજનારાયણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે અન્યાયી માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. કેસની સુનાવણી થઈ અને ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરવામાં આવી.

ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લેવાયેલું આ પગલું દેશમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓનું કારણ બન્યું. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ સૌથી વિવાદાસ્પદ સમય હતો. 25 જૂન 1975 ના રોજ જાહેર થયા પછી, ભારતમાં 21 માર્ચ 1977 સુધી, એટલે કે લગભગ 21 મહિના સુધી કટોકટી લાગુ રહી. કટોકટીથી દેશ કેવી રીતે પ્રભાવિત થયો કટોકટી દરમિયાન, દેશભરમાં ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી. કટોકટીની ઘોષણા સાથે, દરેક નાગરિકના મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકોને ન તો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર હતો, ન તો જીવનનો અધિકાર. દેશમાં વિપક્ષી નેતાઓની ધરપકડ 5 જૂનની રાતથી જ શરૂૂ થઈ ગઈ હતી. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જયપ્રકાશ નારાયણ જેવા મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

એટલા બધા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા કે જેલોમાં જગ્યા બચી ન હતી. પ્રેસ પર સેન્સરશીપ લાદવામાં આવી હતી. દરેક અખબારમાં સેન્સર અધિકારીઓ મુકવામાં આવતા હતા. તે સેન્સર અધિકારીની પરવાનગી વિના કોઈ સમાચાર પ્રકાશિત થઈ શકતા ન હતા.

જો કોઈ સરકાર વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરે તો તેને ધરપકડનો સામનો કરવો પડતો હતો. કટોકટી દરમિયાન, વહીવટ અને પોલીસે લોકો પર અત્યાચાર ગુજાર્યા હતા, જેની વાર્તાઓ પછીથી બહાર આવી.

Tags :
Congressindiaindia newsIndira Gandhipolitcal newsPolitics
Advertisement
Advertisement