શરાબકાંડમાં કેજરીવાલને EDનું સાતમું સમન્સ
05:08 PM Feb 22, 2024 IST
|
Bhumika
Advertisement
- છ વખત હાજર ન થનારા મુખ્યમંત્રીને સોમવારે રજૂ થવા ફરમાન
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ જારી કર્યું છે અને તેમને 26 ફેબ્રુઆરીએ તપાસમાં જોડાવા જણાવ્યું છે, સૂત્રોએ જણાવ્યું હતું. સમાચાર એજન્સી અગઈં.
Advertisement
અગાઉ 19 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રીએ EDના છઠ્ઠા સમન્સને અવગણ્યું હતું. તેમણે છઠ્ઠું સમન્સ છોડ્યા પછી, આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું હતું કે પાર્ટીએ તમામ સમન્સનો જવાબ આપ્યો છે અને તપાસ એજન્સીએ કેસ પર કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈતી હતી. પાર્ટીએ વારંવાર EDદ્વારા સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આ પહેલા, કેજરીવાલે 2023માં 2 નવેમ્બર અને 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના ED સમન્સ અવગણ્યા હતા.
Next Article
Advertisement