For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીમાં લગ્ન સમારોહમાં આવેલા ડોન દાઉદના જમાઇની હત્યા

11:33 AM Feb 23, 2024 IST | Bhumika
યુપીમાં લગ્ન સમારોહમાં આવેલા ડોન દાઉદના જમાઇની હત્યા
  • મૃતક નિહાલ જલાલાબાદના શકીલની ભત્રીજીને ભગાડી ગયો ત્યારે વિવાદ થયો હતો

માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના એક સંબંધી અને કથિત રૂૂપે જમાઈ નિહાલ ખાનની બુધવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તે મુંબઈથી ભત્રીજાના લગ્નના રિસેપ્શન માટે યુપીના જલાલાબાદ પહોંચ્યો હતો. તે દાઉદના ભાઈ ઇકબાલ કાસકરનો બનેવી પણ હતો.

Advertisement

નિહાલ ખાન જલાલાબાદના ચેરમેન શકીલ ખાનનો સાળો પણ હતો. તે 2016માં શકીલની ભત્રીજીને લઈને ભાગી ગયો હતો. જોકે પછીથી સમાધાન થઇ જતાં મામલો ઉકેલાઈ ગયો હતો. શકીલે કહ્યું કે નિહાલ 15 ફેબ્રુઆરીએ ફ્લાઈટ ચૂકી ગયો હતો. તે બાય રોડ અહીં આવ્યો હતો. મને લાગે છે કે મારો ભાઈ કામિલ હજુ 2016ની ઘટનાને લઈને નિહાલથી નારાજ હતો અને તે બદલો લેવા માગતો હતો.
ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહીમને ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કરાયો છે. તાજેતરમાં તેને ઝેર અપાયાનો મામલો સામે આવ્યો હતો. તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરાવાયો હતો. જોકે પછીથી આ ઘટના અફવા સાબિત થઈ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement