For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોકટર આતંકીઓની અલ ફલાહ યુનિ.ની વાર્ષિક 415 કરોડની કમાણી

06:51 PM Nov 19, 2025 IST | Bhumika
ડોકટર આતંકીઓની અલ ફલાહ યુનિ ની વાર્ષિક 415 કરોડની કમાણી

યુનિવર્સિટી સાથે જોડાયેલી અસંખ્ય શેલ કંપનીઓનો તપાસમાં પર્દાફાસ

Advertisement

આતંકવાદી ડોકટરોના ઠેકાણા અલ ફલાહ યુનિવર્સિટી અંગે સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીએ સાત વર્ષમાં ₹415 કરોડ કમાયા હતા. યુનિવર્સિટી સાથે જોડાયેલી અસંખ્ય શેલ કંપનીઓ પણ શોધી કાઢવામાં આવી છે. બધા વ્યવહારો એક જ PAN નંબર હેઠળ કરવામાં આવ્યા હતા. અલ ફલાહ ટ્રસ્ટના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકીની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે. નાણાકીય તપાસમાં અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેની સંલગ્ન યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ કોલેજો અને અન્ય સંસ્થાઓમાં વ્યાપક કથિત ગેરરીતિઓ બહાર આવી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે બધી સંસ્થાઓના બેંક ખાતા અને ITR એક જ ઙઅગ નંબર હેઠળ ચલાવવામાં આવે છે, જે સ્પષ્ટ કરે છે કે એક જ ટ્રસ્ટનું નાણાકીય નિયંત્રણ છે. તપાસ એજન્સીઓએ નાણાકીય વર્ષ 2014-15 થી 2024-25 સુધીના આવકવેરા રિટર્નની તપાસ કરી હતી. ટ્રસ્ટે 2014-15 અને 2015-16 માં અનુક્રમે ₹30.89 કરોડ અને ₹29.48 કરોડના દાનનો અહેવાલ આપ્યો. 2016-17 થી, આવકને શૈક્ષણિક આવક તરીકે દર્શાવવાનું શરૂૂ થયું. 2018-19 થી 2024-25 સુધી આવકમાં નોંધપાત્ર વધારો દર્શાવવામાં આવ્યો. શૈક્ષણિક ફી અને અન્ય ચાર્જના નામે વાર્ષિક નોંધપાત્ર રકમ દર્શાવવામાં આવી.

Advertisement

ઇડી અને અન્ય તપાસ એજન્સીઓ કહે છે કે ટ્રસ્ટ મુખ્યત્વે કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવે છે. તેથી, વિદ્યાર્થીઓની ફી તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે. જો કે, ઘણા વર્ષોથી, સંસ્થા માન્યતા વિના કાર્યરત હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલવામાં આવતી હતી, જેને એજન્સીઓ છેતરપિંડી અને બનાવટી માને છે.

અલ ફલાહ યુનિ. આતંકીઓનો અડ્ડો કઇ રીતે બની તેનું રાઝ ખોલશે જાવેદ
ઈડી હવે આતંકવાદી ડોકટરોનો અડ્ડો બની ગયેલી અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકી પાસેથી રહસ્યો કાઢવાની તૈયારી કરી રહી છે. તેમને મંગળવારે રાત્રે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 13 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. જાવેદ 1 ડિસેમ્બર સુધી ઇડી કસ્ટડીમાં રહેશે. જાવેદ અહેમદ સિદ્દીકીની અલ ફલાહ યુનિવર્સિટીમાં ગંભીર નાણાકીય ગેરરીતિઓ મળી આવી છે. અલ ફલાહ યુનિવર્સિટીની માન્યતા અંગે પણ ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે. દિલ્હી વિસ્ફોટોમાં સંડોવાયેલા આતંકવાદી ડોકટરોના અલ ફલાહ કનેક્શનની તપાસ NIA કરી રહી છે, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. મંગળવારે, ઇડીએ ઓખલામાં યુનિવર્સિટીના મુખ્યાલય અને તેના ટ્રસ્ટીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

આતંકવાદનો પ્રચાર: કાશ્મીરમાં ડોકટર યુગલની કરાઈ ધરપકડ
કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર એ શ્રીનગર, કુલગામ અને અનંતનાગમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી, એક ડોક્ટર અને તેની પત્નીની અટકાયત કરી. તેમના પર સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી વિચારધારા અને આતંકવાદનો પ્રચાર કરવા માટે તેમના વ્યાવસાયિક પદનો ઉપયોગ કરવાનો આરોપ છે. અટકાયત કરાયેલા આરોપીઓમાં શહજાદા અખ્તર અને તેમના પતિ, ડો. ઉમર ફારૂૂક ભટ (SMHS હોસ્પિટલ, શ્રીનગરમાં કામ કરતા)નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલ સામગ્રીમાં પાંચ મોબાઇલ ફોન, પાંચ સિમ કાર્ડ, એક ટેબ્લેટ અને અન્ય ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાનો સમાવેશ થાય છે. ડોક્ટર અને તેમની પત્ની પર સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને પ્રભાવિત કરવાનો, હિંસા ભડકાવવાનો અને જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવાનો આરોપ છે. શહજાદા અખ્તર સ્થાનિક મહિલાઓને કટ્ટરપંથી વિચારો તરફ પ્રેરિત કરી રહી હતી અને પ્રતિબંધિત સંગઠન દુખ્તરન-એ-મિલ્લત સાથેના તેના સંબંધો માટે તપાસ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement